________________
૨૩૦
ખંભાતનાં જિનાલયો
શકરપુર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૯૭૩ પહેલાં) શ્રી સીમંધરસ્વામી (સં. ૧૬૫૯ આસપાસ)
ખંભાતથી પૂર્વ દિશાએ આશરે એક માઈલને છેટે શકરપુર નામે ગામ આવેલું છે. તે ખંભાતની નજીક હોવાથી ખંભાતની સાથે જ ગણાય છે. શકરપુરને શક્રપુર ગણી તેને ઇન્દ્રરાજાના નામ પરથી નામ પડેલું ગણે છે.
ગામના મધ્યભાગમાં વિશાળ જગ્યામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી સીમંધરસ્વામીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. સીમંધરસ્વામીના જિનાલયની બાજુમાં શ્રી ગૌતમસ્વામીનું ભોંયરાયુક્ત ગુરુમંદિર છે. આ જિનાલયના કંપાઉંડમાં પ્રવેશતાં ભીંત પર એક લેખ છે. પ્રકરણ ૧૩માં તે આપવામાં આવ્યો છે. આ લેખ પ્રમાણે શકરપુર પૂર્વે શક્રપુર તરીકે ઓળખાતું હતું. ખંભાતની પૂર્વે ૧ માઈલના અંતરે તે આવેલું છે. અકબર બાદશાહે તેને વસાવેલું તેવી એક વાયકા છે. પ્રસ્તુત લેખમાં કવિ ઋષભે સં. ૧૯૭૦માં રચેલ કુમારપાળ રાસ પૃ૦ નં૦ ૧૯૯-૨૦૧માં જણાવેલી વિગતો આપી છે. ઉદર્યા ગામનો વણિક સાજણ શેઠ કર્મયોગે નિર્ધન બન્યો અને તેના કુલદેવીએ જણાવ્યા પ્રમાણે તે શકરપુરમાં આવે છે. અને જે ઘરમાં રહ્યો હતો તે જમીનમાંથી તેને ધન પ્રાપ્ત થયું. જેની પાસેથી ઘર લીધું હતું તે રંગાઈ ભાવસાર નામના મુખી જમીનમાંથી પ્રાપ્ત સંપત્તિ (સોનાના કડા) પરત કરવા ગયો ત્યારે મુખીએ તેમને તેમના પુણ્યનું આ દ્રવ્ય છે એમ કહી પાછું લીધું નહીં. પ્રારબ્ધ યોગે તે સિદ્ધરાજના મંત્રી બન્યા અને સોરઠ દેશ સંભાળ્યો. ગીરનાર પર નેમિનાથ જિનાલય પણ બંધાવ્યું અને એ રીતે શકરપુરને ગૌરવ અપાવ્યું.
સં૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં શકરપુરમાં પાંચ જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ આવે છે, જે નીચે મુજબ છે :
શકરપુરમાં જાણીઈ રે લો, પંચ પ્રાસાદ ઉત્તગ રે સા. ભાવ ધરી યન પૂજતાં રે લો, લહઈ મુગતિ સુચંગ રે સા / ૯ અમીઝરુ આદઈ, લહુ રે લાલ, સાત બંબ સુવિચાર જાઉંવારી રે સીતલ સ્વામી ત્રણ્ય બંબશું રે લાલ, પૂજ્યઈ લહઈ પાર, જાઉં. મહિર કરુ પ્રભુ માહરી રે લાલ // ૧ ઋષભ તણઉ દેહરઈ નમુ રે લાલ, શ્રી યન પ્રતિમા વીસ, જાઉં. ઋદ્ધિ વૃધ્ય સુષસંપદા રે લાલ, જે નર નાંમઇ શીશ, જા. // સોમય્યતામણિ ભોઈવઈ રે લાલ, વંદું બંબ હજાર. જા. કેસરચંદનિ પૂંજતા રે લાલ, લહીઈ ભવચા પાર, જા. // ૩ સીમંધર બિરાજતા રે લાલ, બંબ તિહાં પણયાલ, જા. દિઓ દરશન પ્રભુ મુહનઈ રે લાલ, સાહિબ પરમ દયાલ, જા. || ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org