________________
ખંભાતનાં જિનાલયો
જિનાલયમાં રંગકામ થયેલ નથી. ગભારામાં લોખંડનો ઉપયોગ થયો નથી. ૬૦ ફુટ ઊંડો પાયો કરીને શાસ્રીય વિધિ મુજબ ગભારો તથા પબાસનની રચના કરેલ છે. રંગમંડપમાં બરોબર વચ્ચે બેસીને બોલવામાં આવે તો પડઘો પડે છે. જિનાલયમાં ફર્શ પર આરસની સુંદર ડિઝાઇન છે.
આ ઘરદેરાસરની સ્થાપનાનો સમય સં૰ ૨૦૩૫ છે. જિનાલયની પ્રતિષ્ઠા શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ૰ સા૰ દ્વારા કરવામાં આવેલી છે. અને તે સમયે મણીભાઈ (બાબુભાઈ) ગભુભાઈ દેહવાણવાળાએ જિનાલયની પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. ભોંયતળિયે અંજનશલાકા શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિ મ૰ સા૰ ના દ્વારા કરવામાં આવી હતી. ભોંયરામાં ચાર વિહરમાન ભગવંતની અંજનશલાકા શ્રીમદ્ વિક્રમસૂરિના હસ્તે તથા બાકીના અગણ્યોસિત્તેર ભગવાનની અંજનશલાકા શ્રીમદ્ ભુવનભાનુસૂરીશ્વરજી મ૰ સાના હસ્તે થઈ હતી.
ખંભાતના શ્રી ભાણાભાઈ પાસેથી આ જિનાલય અંગે નીચે પ્રમાણે માહિતી પ્રાપ્ત થયેલી છે :
“બાબુભાઈ પોતાના ધંધાના કામે અવારનવાર જયપુર જતા હતા. ત્યાં તેમણે ચોવીસ તીર્થંકરનું જિનાલય જોયું. તે જોઈને તેમના મનમાં પણ ‘ચોવીસ ભગવાનનું એકસાથે જિનાલય બનાવવું' એવો વિચાર સ્ફુર્યો.
૨૨૯
—
સં ૨૦૨૫ માં ગભુભાઈ નહાલચંદ કુટુંબે અહીં થિયેટર બનાવવા માટે પ્લોટ ખરીદ્યો હતો. તે સમયે ૧૦૦૦ માણસના ઉપધાન ગામ બહાર કરાવ્યા હતા. તે પછી તેમની ભાવનામ પરિવર્તન થયું અને તેમણે અહીં જિનાલય નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. પ્લોટનું ખોદકામ કરતાં અંદરથી કેસર ઘસવાનો પથ્થર તથા બીજાં સાધનો નીકળ્યાં તેના ઉપરથી અહીં પહેલાં મંદિર હશે તેમ અનુમાન કરવામાં આવ્યું.”
આજે જિનાલયનાં ભોંયરામાં મૂળનાયક શ્રી સીમંધરસ્વામી તથા ભોંયતળિયે મૂળનાયક શ્રી મહાવીરસ્વામી બિરાજમાન છે.
Jain Education International
એક સાથે અતીતની, સાંપ્રતની અને અનાગતની ચોવીશીના તીર્થંકરોના દર્શન કરવા હોય તો આ જિનાલયમાં થઈ શકે છે. એટલું જ નહીં પણ આજે મહાવિદેહક્ષેત્રે વિહરતા વીસ વિહરમાનો તથા ચાર શાશ્વતા પ્રતિમાજીના પણ દર્શન અહીં ભાવિકો કરી શકે છે અને એ રીતે આ જિનાલય વિશિષ્ટ છે. અનન્ય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org