________________
ખંભાતનાં જિનાલયો
પ્રતિમાજીઓની વિશેષતા એ છે કે માથાના વાળ કાનની નીચેના ભાગમાં સ્પષ્ટ ઊપસી આવે તેવા દેખાય છે. શાંતિનાથજીના ગભારામાં પાષાણની કુલ આઠ પ્રતિમાજીઓ બિરાજમાન છે.
૨૨૮
શાંતિનાથજીના રંગમંડપમાં પ્રવેશતાં ડાબી બાજુ(મૂળનાયકની જમણી બાજુ)ના પ્રવેશદ્વાર પાસે અંદર એક દાદર પડે છે જ્યાંથી ઉપર અગાશીમાં જઈ શકાય છે. ઉપર ચડતાં અગાશીમાં નીચેના શ્રી શાંતિનાથજીના રંગમંડપનો ઘુમ્મટ નજરે ચડે છે. સીધા ચાલી આગળ જતાં પાંચછ પગથિયાં ચડી જમણી બાજુ મધ્યે નાના ગભારા જેવી રચના કરવામાં આવી છે. અહીં મૂળનાયક તરીકે શ્રી સુપાર્શ્વનાથજી બિરાજમાન છે. અહીં પાષાણની કુલ ત્રણ પ્રતિમાજીઓ બિરાજમાન છે.
ટૂંકમાં આ જિનાલય સં ૧૬૭૩ પહેલાના સમયનું છે.
દહેવાણનગર
મહાવીરસ્વામી (સં. ૨૦૩૫)
હરકોરબેન ગભુભાઈ નહાલચંદ દહેવાણવાળા ચોવીસ તીર્થંકરગૃહમંદિર તરીકે ઓળખાતું આ ઘરદેરાસર દહેવાણ નગર-અરિહંત એપાર્ટમેન્ટના સંકુલમાં આવેલું છે.
તદ્દન નવી જ શૈલીનું આરસપહાણથી બંધાયેલું ભોંયરાયુક્ત આ જિનાલય નવ શિખર અને છ ઘુમ્મટ ધરાવે છે. જિનાલય કુલ બે માળનું છે.
ભોંયરામાં અર્ધગોળાકારે ગત ચોવીસી અને અનાગત ચોવીસીના તીર્થંકરોની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. મૂળનાયક શ્રી સીમંધરસ્વામી મધ્યે બિરાજમાન છે. મૂળનાયકની જમણી બાજુ અનુક્રમે અતીત (ગત) ચોવીસી અને ડાબી બાજુ ક્રમિક રીતે અનાગત ચોવીસીના તીર્થંકરોની નયન રમ્ય પ્રતિમાજીઓ વિદ્યમાન છે. સીમંધરસ્વામીની આજુબાજુમાં વીસ વિહરમાન અને ચાર શાશ્વતા ભગવાનની નાની પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત છે. મૂળનાયકની પાછળ કાચકામમાં અશોકવૃક્ષ અને તેની આજુબાજુ દ્વારપાલનું ચિત્રકામ છે. ગભારામાં આરસનું કામ છે.
ભોંયતળિયે જિનાલયના ગોળ ઘુમ્મટમાં અર્ધગોળાકારે વર્તમાન ચોવીસ તીર્થંકરોની પ્રતિમાજીઓ વિદ્યમાન છે. અહીં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી છે. મૂળનાયક મહાવીર સ્વામીનું પરિકર સુંદર છે જેમાં નાની નાની કુલ ૨૩ પ્રતિમાજીઓ છે. મૂળનાયકની જમણી બાજુ ૧ થી ૧૨ તીર્થંકરોની (પ્રથમ ઋષભદેવ) ક્રમિક રીતે પ્રતિમાજીઓ તથા ડાબી બાજુ ૧૩ થી ૨૪ તીર્થંકરોની પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત કરેલી છે. અહીં ધાતુની એક ચોવીસી છે.
જિનાલય ગોળાકારમાં છે. ભગવાનના ગભારાને બાદ કરતાં બધી દીવાલો પર અરીસા લગાડેલ છે જેથી કોઈ પણ જગ્યાએ દૃષ્ટિ પડતાં સન્મુખ ભગવાનની પ્રતિમાજી જ નજરે ચડે. આ ઘણી જ વિશિષ્ટ રચના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org