________________
૨૨૬
ખંભાતનાં જિનાલયો
આળીપાડો શાંતિનાથ - સુપાર્શ્વનાથ (સં. ૧૬૭૩ પહેલાં) આળી પાડો વિસ્તારમાં પ્રવેશી સીધા જઈ, જમણા હાથે વળતાં શ્રી શાંતિનાથ - શ્રી સુપાર્શ્વનાથનું ધાબાબંધી સંયુક્ત જિનાલય આવેલું છે. શ્રી સુપાર્શ્વનાથજીનું જિનાલય ધાબા પર આવેલું છે.
સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં આલી નામના વિસ્તારમાં શાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
આલીમાંહાં શ્રી શાંતિનાથ બંબ નમું સડસઠ I
શ્રી જયનવર મુષ દેષતાં, અમીએ પઈઠો ઘટિ // ૧૪ મૂળનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા પર કોઈ લેખ નથી. મૂળનાયક અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત છે. મૂળનાયકને જમણે ગભારે શ્રી સ્થંભન પાર્શ્વનાથ બિરાજમાન છે તથા ડાબા ગભારે શ્રી મુનિસુવ્રતસ્વામી બિરાજમાન છે. આ બંને પ્રતિમાજીઓ પર સં૧૬૬૨નો મૂર્તિલેખ છે.
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં આલીપાડામાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
આલીનઈ પાડઈ શાંતિ એકસુ સતાવન આગલિ ઉપરિ
ચઉમુખ અનઈ અષ્ટાપદ નાકર રાઉત પોલિ વલી ૨૨ સં. ૧૯૦૦માં આલિપાડામાં બે જિનાલયોનો ઉલ્લેખ ક્રમાંક ૪૩ તથા ૪૪માં નીચે મુજબ આવે છે :
અથ આલિપાડે રની વિગત૪૩. શ્રી શાંતિનાથ દેહરુ ૪૪. શ્રી સુપાર્શ્વનાથ દહેરું
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્રગ્રંથની પ્રસ્તાવનામાં પણ આળી પાડામાં બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે, જે નીચે મુજબ છે :
આળીપાડામાં ૨૯. શાંતિનાથજીનું ૩૦. સુપાર્શ્વનાથજીનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આલીપાડામાં શ્રી સુપાર્શ્વનાથનું જિનાલય તથા શ્રી શાંતિનાથજીનું જિનાલય – એમ બંનેનો અલગ-અલગ જિનાલય તરીકે ઉલ્લેખ થયેલો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org