________________
ખંભાતનાં જિનાલયો
૨૨૫
માંડવીની પોળમાં
૩૧. વીમળનાથજીનું
• • • • • • • • • • • • •
૩૬. પદ્મપ્રભુજીનું. ૩૭. સુમતીનાથજીનું.
સં. ૧૯૬૩ માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં કડાકોટડી વિસ્તારમાં આવેલા પદ્મપ્રભુજીના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે અને તે સમયે જિનાલયમાં પાષાણની બાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં કડાકોટડી વિસ્તારમાં આવેલા પાપ્રભુજીના જિનાલયમાં પાષાણની બાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને તેમાં પૃ. ૫૪ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ આવે છે :
અહીં પણ રંગમંડપની કારીગરી જૂની સ્મૃતિ તાજી કરાવે છે. તે સમયે આ જિનાલયનો વહીવટ પુરુષોત્તમદાસ સોમચંદ નામના યુવક પાસે હતો.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં કડાકોટડીમાં આવેલા પાપ્રભુજીના જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. તે સમયે પાષાણની દસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી અને વહીવટ પુરુષોત્તમદાસ સોમચંદ હસ્તક હતો. આજે વહીવટ દિલીપકુમાર શાંતિલાલ હસ્તક છે જેઓ કડાકોટડીમાં જ રહે છે.
બહારથી ખૂબ જ સાદા લાગતા આ જિનાલયમાં મોટા રંગમંડપમાં લાકડાની કોતરણીવાળા ટોડલા, ઉપર ફરતાં રાજમહેલ જેવા ઝરૂખાઓ અને તેમાંની અષ્ટમંગલની રચના તેની પ્રાચીન ભવ્યતાનો ખ્યાલ આપે છે. છતમાં ચિત્રકામ છે.
ગભારામાં પાષાણની કુલ દસ પ્રતિમાજીઓ બિરાજમાન છે જે પૈકી પાંચ પ્રતિમાજીઓ નાના શિખરયુક્ત છે. આ પ્રતિમાજીઓ એક પાષાણના પથ્થરમાંથી બનાવવામાં આવી હોવાનું મનાય છે. આ પ્રતિમાજીઓના શિખરના ભાગમાં તેઓના નામ લખવામાં આવ્યા છે, જે પૈકી અનુક્રમે (જમણેથી) (૧) નામ વંચાતું નથી (૨) મુનિસુવ્રત સ્વામી (૩) આદિનાથ (૪) સંભવનાથ (૫) અજિતનાથ એવાં નામ વાંચી શકાય છે.
ટૂંકમાં આ જિનાલય સં૧૯૦૦ પહેલાના સમયનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org