________________
૨૨૪
ખંભાતનાં જિનાલયો
કડાકોટડી પદ્મપ્રભુસ્વામી (સં. ૧૯૦૦ પહેલાં)
કડાકોટડી વિસ્તારમાં શ્રી પદ્મપ્રભુસ્વામીનું ધાબાબંધી જિનાલય આવેલું છે. મૂળનાયકની પ્રતિમાજી ચમત્કારિક ગણાય છે.
કડાકોટડી વિસ્તારમાં શ્રી પદ્મપ્રભુસ્વામીના જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૦૦માં મળે છે. આજે ખંભાતમાં શ્રી પદ્મપ્રભુસ્વામીનું જિનાલય માત્ર આ એક જ છે.
સં. ૧૭૦૧ માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં ખંભાતમાં પદ્મપ્રભુસ્વામીનું જિનાલય માત્ર એક જ હતું અને તે જીરાળાપાડામાં મોહન પાર્શ્વનાથના જિનાલયના ભોંયરામાં બિરાજમાન હતા જેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
પાટિક જીરાઉલઈ થંભણ બેટિઉ ભલઈ
મોહન પાસ જિન પ્રતિમા એ ચાર દિન ભૂઈરઈ પદમપ્રભુ જિનવરુ એ.
આજે કડાકોટડી વિસ્તારમાં બિરાજમાન શ્રી પદ્મપ્રભુજીની પ્રતિમાજી પર સં. ૧૬૮૩નો મૂર્તિલેખ છે. મૂળનાયકની જમણે તથા ડાબા ગભારે પાષાણની નાની પ્રતિમાજીઓના લાંછન ઘસાઈ ગયા હોવાને કારણે નામ ખબર પડતી નથી એટલે કે જિનાલયમાં પાષાણની પ્રાચીન પ્રતિમાજીઓ બિરાજમાન છે.
સં. ૧૯૦૦માં આ જિનાલયનો ઉલ્લેખ પડાકોટડી વિસ્તારના ત્રણ જિનાલયો પૈકી ૩૫માં નીચે મુજબ આવે છે :
અથ ષડાકોટડી દેહરાં ૩ની વિગત ૩૫. શ્રી પદ્મપ્રભુનું દેહરું ૩૬. શ્રી સુમતિનાથનું દેહરુ ૩૭. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેરું
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં કડાકોટડી વિસ્તારનાં જિનાલયોનો ઉલ્લેખ માંડવીની પોળના વિસ્તારમાં કરવામાં આવ્યો છે. તે સમયે માંડવીની પોળમાં કુલ સાત જિનાલયો વિદ્યમાન હતાં તે પૈકી આજે કડાકોટડી વિસ્તારમાં આવેલા પદ્મપ્રભુસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૩૬માં થયેલો છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org