SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ખંભાતનાં જિનાલયો થયેલો નથી. આજે તે વિસ્તારમાં વિદ્યમાન જિનાલયોનો ઉલ્લેખ તે સમયે માંડવીની પોળના વિસ્તારમાં ક્રમાંક ૩૬ તથા ક્રમાંક ૩૭માં નીચે મુજબ થયેલો છે : માંડવીની પોળમાં ૩૧. વીમળનાથજીનું ૩૬. પદમપ્રભુજીનું ૩૭. સુમતીનાથજીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં કડાકોટડી વિસ્તારમાં સુમતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ આવતો નથી પણ શાંતિનાથજી અને પાપ્રભુજીના જિનાલયનો ઉલ્લેખ આવે છે. તે સમયે આ બંને જિનાલયો ધાબાબંધી દર્શાવવામાં આવ્યા છે. શાંતિનાથજીના જિનાલયમાં પાષાણની અગિયાર પ્રતિમાજીઓ અને ધાતુની સુડતાળીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. પદ્મપ્રભુજીના જિનાલયમાં પાષાણની બાર પ્રતિમાજીઓ અને ધાતુની પાંત્રીસ પ્રતિમાઓ બિરાજમાન હતી. તે સમયે બંને જિનાલયની સ્થિતિ સાધારણ હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં કડાકોટડી વિસ્તારમાં શાંતિનાથજી અને પદ્મપ્રભુજીનાં જિનાલયોનો ઉલ્લેખ આવે છે. શાંતિનાથજીના જિનાલયમાં તે સમયે પાષાણની સાત પ્રતિમાજીઓ અને ધાતુની ચાર પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે. શાંતિનાથજીના જિનાલયની કલા-કારીગરી વિશેની ખાસ નોંધ તથા તે જિનાલય વિશેની નોંધ તેમાં પૃ૦ ૫૪ પર નીચે મુજબ આપવામાં આવી છે : “આળીપાડા'માંથી નીકળી ત્રણ દરવાજા તરફ પાછા ફરતાં, ગુજરાતી મુખ્ય નિશાળ છોડી આગળ આવતાં, માંડવીની પોળ સામે કડાકોટડીનો લતો આવે છે. તેમાં દાખલ થઈ ડાબા હાથે વળતાં, શાંતિનાથજીનું દેહરું આવે છે. રંગમંડપની કારીગરી જૂના સમયની કળાનો ખ્યાલ આપે છે. બાકી પરિસ્થિતિ જીર્ણ બનતી જાય છે. તે સમયે જિનાલયનો વહીવટ પુરુષોતમદાસ સોમચંદ નામે એક યુવક હસ્તક હતો. સં. ૧૯૬૩ માં શાંતિનાથજીના જિનાલયની મકાનની સ્થિતિ સાધારણ હતી જ્યારે સં ૧૯૮૪ માં શાંતિનાથજીના જિનાલયના મકાનની જીર્ણ અવસ્થા હતી. સં. ૨૦૧૦ માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં કડાકોટડી વિસ્તારમાં સુમતિનાથ તથા પાપ્રભુજીના જિનાલયોનો ઉલ્લેખ આવે છે. તે સમયે આ બંને જિનાલયોની બાંધણી ધાબાબંધ હતી. સુમતિનાથજીના જિનાલયમાં તે સમયે પાષાણની છ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. વહીવટ તે સમયે પરસોત્તમદાસ સોમચંદ હસ્તક જ હતો. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ દર્શાવેલી હતી. તે સમયે જિનાલય બંધાવનાર તરીકે શેઠ મોતીશાહ સં૧૯૦૦ લગભગ – એ મુજબનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજે પણ આ જિનાલય સાથે શેઠ મોતી શાહનું નામ જોડાયેલું છે. આજે આ જિનાલયનો વહીવટ દીલીપકુમાર શાંતિલાલ શાહ હસ્તક છે જેઓ કડાકોટડીમાં જ રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy