________________
ખંભાતનાં જિનાલયો
૨૨૧
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં કડાકોટડી વિસ્તારમાં (૧) સુમતિનાથ (૨) પદ્મપ્રભુ – એમ બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે.
હાલ કડાકોટડી વિસ્તારમાં નીચે મુજબનાં કુલ બે જિનાલયો વિદ્યમાન છે : (૧) સુમતિનાથ (૨) પદ્મપ્રભુ
કડાકોટડી
સુમતિનાથ (સં. ૧૬૭૩ પહેલાં) કડાકોટડી વિસ્તારમાં દાખલ થઈ ડાબા હાથે વળતાં શ્રી સુમતિનાથજીનું ધાબાબંધી પ્રાચીન જિનાલય આવેલું છે.
સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસની ત્રંબાવતી તીર્થમાલામાં શ્રી સુમતિનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
મોહોર વસઈની પોલ્ય માંહાં, ત્રણ્ય પ્રાસાદ જગીસ !
..............., સુમતિનાથ યગદીસ ! સોલ બંબ સહજઈ નમું, પૂરઈ મનહ જગીસ / ૧૩
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાતિ તીર્થમાલામાં શ્રી સુમતિનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
સોહીઈ હિવઈ મુહુર વસહીઈ એકસુ ત્રિસ્તુત્તરિ વલી શાંતિ ભવન પાંચ સુમતિ દોહસઈ ચઉવીસ ત્રણ રત્નની ભલી.
સં. ૧૯૦૦માં પડાકોટડી વિસ્તારના ત્રણ જિનાલયો પૈકી શ્રી સુમતિનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૩૬માં થયેલો છે.
અથ ષડાકોટડી દેહરાં ૩ ની વિગત - ૩૫. શ્રી પદ્મપ્રભુનું દેહરું. ૩૬. શ્રી સુમતિનાથનું દેહરું ૩૭. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેહ સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં કડાકોટડી વિસ્તારનો ઉલ્લેખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org