________________
૨૨૦
ખંભાતનાં જિનાલયો
છે. એવું કહેવા માટે આપણી પાસે કોઈ આધાર છે નહીં. વળી, આ પ્રાસાદનો ઉલ્લેખ સં૦ ૧૬૭૩ સુધી મળે છે. શક્ય છે કે આ જિનાલય આક્રમણનો ભોગ બન્યું હોય ! મૂર્તિને બચાવી લેવાઈ હોય અને બીજે ક્યાંક પ્રતિષ્ઠિત કરી હોય ! (આજે ટીંટોઈમાં મુહરી પાર્શ્વનાથ છે તે મુહરી ગામથી આણેલાં ગણાય છે.) આ સર્વ તર્ક આમ તો આધાર વિનાના છે પણ ભાવિ સંશોધકોને આ માહિતી ખપમાં આવે એ ધ્યાનમાં રાખી અહીં આપવામાં આવી છે.
- સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં અભિગવસહી અને આળી પાડો નામના વિસ્તારોની વચ્ચે ‘મુહુરવસહી' નામનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે. તે સમયે મુહુરવસહીમાં (૧) મુહુર પાર્શ્વનાથ (૨) શાંતિનાથ (૩) સુમતિનાથ – એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં જેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
સોહીઈ હિવઈ મુહુરવસહીઈ એકસુ ત્રિસુત્તરિ વલી
શાંતિ ભુવન પાંચ સુમતિ દોઈસઈ ચઉવીસ ત્રણ રત્નની ભલી. ' સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં માંડવીની પોળ અને આળી પાડો એ બે વિસ્તારની વચ્ચે પડાકોટડી વિસ્તારનાં જિનાલયોની યાદી દર્શાવવામાં આવી છે. તે સમયે આ વિસ્તારમાં નીચે મુજબના કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં :
અથ ષડાકોટડી દેહરાં ૩ ની વિગત - ૩૫. શ્રી પદ્મપ્રભુનું દેહરું ૩૬. શ્રી સુમતિનાથનું દેહ ૩૭. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેહરું
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ખંભાતમાં તે સમયે વિદ્યમાન જિનાલયોમાં આજે કડાકોટડી વિસ્તારમાં વિદ્યમાન છે તે જિનાલયોનો ઉલ્લેખ માંડવીની પોળ વિસ્તારમાં કરવામાં આવેલો છે. (આજે માંડવીની પોળનો વિસ્તાર કડાકોટડીના વિસ્તારની સામે આવેલો છે.)
માંડવીની પોળમાં ૩૧. વિમલનાથનું
૩૨. રીખવદેવસ્વામીનું ૩૩. નેમનાથ સ્વામીનું
૩૪. મુનીસુવ્રતસ્વામીનું. ૩૫. કુંથુનાથજીનું
૩૬. પદમપ્રભુજીનું. ૩૭. સુમતીનાથજીનું
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં “કડાકોટડી” વિસ્તારમાં (૧) શાંતિનાથ (૨) પદ્મપ્રભુ – એમ બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org