SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૨૧૯ “આલિગ નામના મંત્રીએ આદીશ્વર ભગવાનનું મંદિર બંધાવ્યું હતું.' ટૂંકમાં આ જિનાલય ૧૬મા સૈકાનું અથવા તે અગાઉના સમયનું છે. આજે વિદ્યમાન ખંભાતનાં જિનાલયોમાં આ જિનાલય મોટા ભાગે સૌથી પ્રાચીન જણાય છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૮) કિડાકોટડી માંડવીની પોળની સામે આવેલો, આજે કડાકોટડી તરીકે જાણીતો વિસ્તાર અગાઉ મોહોરવસહી - મુહુરવસહી તરીકે ઓળખાતો હતો. ૧૯મા સૈકામાં કવિ ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં મુહુરવસહીમાં પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં કરવામાં આવ્યો છે. મુહુર વસહીઅ પાસનાહ પ્રભુ પ્રત્યાસારો, ખરતર વસહી અજિતનાથ સેવક સાધારો, આલિગ વસહી આદિનાથ સામલ મન મૂરતિ, સુરતાણ પુરિ શ્રી શાંતિનાથ પ્રભા આશા પૂરઈ ૧૦ સં. ૧૯૭૩માં કવિશ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં “મોહોરવસહી' નામનો વિસ્તાર અલંગવસહી અને આલીની વચમાં દર્શાવવામાં આવ્યો હતો. અલંગ વસહી નામનો વિસ્તાર આજે માંડવીની પોળ તરીકે જાણીતો થયો છે. તે સમયે મોહોર વસઈની પોલમાં કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં : (૧) મોહોર પાર્શ્વનાથ (૨) શાંતિનાથ (૩) સુમતિનાથ – આ ત્રણેય જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયો છે : મોહર વસઈની પોલ્યમાંહાં, ત્રણ્ય પ્રાસાદ જગીસ ! મોહોર પાસ સ્વામી નમું, નમું બંબ પ્યાલીસ / ૧૨ શાંતિનાથ ત્રણ્ય બંબશું, સુમતિનાથ યગદીસ ! સોલ બંબ સહજઈ નમું, પૂરઈ મનહ જગીસ || ૧૩ સં. ૧૬૭૩માં મોહોરવસહીમાં મોહોર પાર્શ્વનાથનાં જિનાલયો ઉલ્લેખ આવે છે. સંભવ છે કે મુહુર પાર્શ્વનાથનાં જિનાલયના નામ સાથે મુહુર વસહી નામ પ્રચલિત થયું હશે. સં. ૧૨૯૧ પછી અંચલગચ્છના શ્રી અજિતસિંહસૂરિના સમમાં બનેલી એક ઘટના અહીં ઉલ્લેખનીય છે. મહીયલ ગામમાં શ્રી આદિદેવનો જિનપ્રાસાદ અને વાવ બંધાવનાર વર્ધમાન શેઠના વિંશના જગમલ્લ શેઠ એક વખત મથુરા ગયેલા. ત્યાં તેમને સ્વપ્નમાં શ્રી મુહરીપાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવે કહ્યું કે ઠાકરના ઘરમાં જે પાર્થપ્રભુની મૂર્તિ છે તે દામ આપીને લેવી, આદેશ મુજબ તેઓ તે મૂર્તિ લઈને ખંભાત આવ્યા અને અહીં પાંચ લાખ રૂપિયા ખર્ચીને (એ જમાનાના !) જિનપ્રાસાદ બંધાવી તેમાં પ્રભુજીને બિરાજમાન કર્યા. આ મુહરી પાર્શ્વનાથ એટલે અત્રે ઉલ્લેખિત મોહર કે મુહર પાર્શ્વનાથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy