________________
ખંભાતનાં જિનાલયો
અથ માંડવીની પોલમાં દેહરાં પત્ની વિગત -
૩૮. શ્રી કુંથુનાથનું દેરું
૩૯. શ્રી મુનિસુવ્રત સ્વામી દેરું
૪૦. શ્રી આદિસર ભગવાનનું દેરું
૪૧. શ્રી વિમલનાથ દેરું
૪૨. શ્રી માહાવીર સ્વામી મેડી ઉપર
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ જિનાલયનો ઉલ્લેખ માંડવીની પોળ વિસ્તારમાં ક્રમાંક ૩૨માં થયેલો છે.
માંડવીની પોળ
૩૨. રીખવદેવ સ્વામીનું.
૨૧૭
૩૧. વિમલનાથનું.
૩૩. નેમનાથ સ્વામીનું
સં૰ ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં માંડવીની પોળમાં ચાર જિનાલયોનો ઉલ્લેખ આવે છે જે પૈકી આદેશ્વરજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે પાષાણની ચોવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. ઉપરાંત પગલાં જોડ ત્રણનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ દર્શાવવામાં આવેલી હતી.
સં૦ ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માંડવીની પોળના આદેશ્વરજીના જિનાલયમાં પાષાણની સત્તર પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત બાજુમાં નેમનાથજીનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે જિનાલયની વિશાળ જગ્યામાં એક ઝાડનો ઉલ્લેખ થયેલો છે. કુંથુનાથજીના જિનાલયની આગળ જતાં આદેશ્વરજીનું મંદિર આવે છે. તેને પુરાણું સ્થાન ગણાવ્યું છે. તે સમયે વહીવટ ભાયચંદ કસળચંદ હસ્તક હતો.
સં. ૧૯૯૩માં જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલો છે.
સં૰ ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માંડવીની પોળમાં આદિનાથજીનું જિનાલય શિખરબંધ દર્શાવવામાં આવેલું છે. તે સમયે પાષાણની તેર પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી છે. ઉપરાંત વલ્લભ વિજયજી, આત્મારામજી અને હર્ષ વિજયજીની મૂર્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વહીવટ શેઠ ભાઈચંદ કસળચંદની પેઢી હસ્તક હતો. હાલ જિનાલયનો વહીવટ ભાઈચંદ કસળચંદની પેઢીના વારસદાર શ્રી હરેન્દ્રભાઈ કાંતિલાલ શાહ હસ્તક છે અને દેખરેખ શ્રી ભુપેન્દ્રભાઈ માણેકલાલ શાહ રાખે છે.
Jain Education International
જિનાલયનો જીર્ણોદ્વાર સં૦ ૧૯૯૩માં થયો. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ માંડવીની પોળના આદેશ્વર ભગવાનના આ નવીન પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરાવી. આ પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૯૯૩માં શ્રાવણ સુદ ત્રીજને સોમવારના દિવસે થઈ હતી.
For Personal & Private Use Only
www.jainelibrary.org