________________
ખંભાતનાં જિનાલયો
૨૧૫
૪૧. શ્રી વિમલનાથનું દેહરુ ૪૨. શ્રી મહાવીર સ્વામી મેડી ઉપર
(૧) સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં માંડવીની પોળમાં આવેલા કુંથુનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૩૫માં નીચે મુજબ પ્રાપ્ત થાય છે.
માંડવીની પોળમાં ૩૧. વિમલનાથનું
૩૨. રીખવદેવ સ્વામીનું. ૩૩. નેમનાથ સ્વામીનું ૩૪. મુનિસુવ્રતસ્વામીનું. ૩૫. કુંથુનાથજીનું
૩૬. પદમપ્રભુજીનું. ૩૭. સુમતિનાથજીનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે તે સમયે પાષાણની એક પ્રતિમાજી વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં માંડવીની પોળમાં આવેલા કુંથુનાથજીના જિનાલયમાં પાષાણની એક પ્રતિમાજી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ કરેલો છે. ઉપરાંત પૃ. ૫૪ ઉપર આ જિનાલયની નીચે મુજબ નોંધ મળે છે :
“માંડવીની પોળમાં કુંથુનાથજીના દર્શન કરવા, નાનકડા દહેરાંની સ્વચ્છતા ને નિવૃત્તિ જનકતા અજબ છે.” તે સમયે જિનાલયનો વહીવટ માસ્તર દીપચંદ પાનાચંદ હસ્તક હતો જેઓ જિનાલયની નજીકમાં જ રહેતા હતા.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં માંડવીની પોળના કુંથુનાથજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધ તરીકે થયેલો છે તે સમયે પણ જિનાલયમાં પાષાણની એક પ્રતિમાજી વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે અને વહીવટ તે સમયે પણ શેઠ દીપચંદ પાનાચંદ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ તે સમયે સાધારણ દર્શાવવામાં આવેલી હતી. હાલ આ જિનાલયનો વહીવટ શ્રી જયંતિભાઈ દીપચંદ શાહ હસ્તક છે જેઓ જિનાલયની બાજુમાં જ રહે છે.
જિનાલય નાનું છતાં સ્વચ્છ છે. તેમાં પ્રવેશતાં નાનો ચોક છે. અહીંથી તેની ચારે બાજુ પ્રદક્ષિણા કરી શકાય તેવી જગ્યા છે. આ જિનાલય આરસ તથા ખારિયા પથ્થરનું બનેલું છે. તેમાં રંગકામ થયેલું છે.
રંગમંડપ સાદો છે. ઘુમ્મટમાં ચિત્રકામ તથા પૂતળીઓનાં શિલ્પો છે.
ગભારો ઘણો નાનો છે. અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત કુંથુનાથજીની આરસની માત્ર એક જ પ્રતિમાજી (મૂળનાયક) છે. એટલે કે આ જિનાલયમાં પાષાણની માત્ર એક જ પ્રતિમાજી વિદ્યમાન છે. આ એક વિરલ બાબત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org