________________
ખંભાતનાં જિનાલયો
૧૯૭
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં જીરાળા પાડામાં અભિનંદન સ્વામીના ઘરદેરાસરનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે જિનાલયનો વહીવટ ઝવેરી ભગુભાઈ ખુશાલચંદ હસ્તક હતો. દેરાસર પ્રાચીન દર્શાવવામાં આવ્યું હતું. ઉપરાંત દેરાસરની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. ત્યાં એ મકાનમાં શ્રી નેમિસૂરીશ્વરજી જ્ઞાનભંડાર હતો તે મુજબનો ઉલ્લેખ છે. આજે આ ઘરદેરાસરનો વહીવટ ખીમચંદ ભગુભાઈ ઝવેરી હસ્તક છે. અને આ ઘરદેરાસર દલપતભાઈ ખુશાલચંદ અને ભગુભાઈ ખુશાલચંદ ઝવેરી પરિવારનું ગણાય છે.
અભિનંદન સ્વામીની ધાતુની ચોવીશી મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત થયેલી છે. તેમના પર એક મૂર્તિલેખ છે જેના પર “સં. ૧૫૧૮... શ્રી ભાવદેવસૂરિ...” મુજબનું લખાણ વંચાય છે. ધાતુના કુલ તેર પ્રતિમાજીઓ બિરાજમાન છે. વળી, અહીં આ ઝવેરી પરિવારના કુળદેવી પણ બિરાજમાન છે.
ટૂંકમાં આ ઘરદેરાસર સં ૧૯૬૩ પહેલાના સમયનું છે.
જીરાળા પાડો ચિંતામણિ પાર્શ્વનાથ - ૧૯ જિનાલય (સં. ૧૯૬૩) જીરાળા પાડો નામથી ઓળખાતો આજનો આ વિસ્તાર સં. ૧૯૭૩માં જિરાઉલાની પોળ તરીકે પ્રસિદ્ધ હતો તે સમયે ભોંયરાયુક્ત જિરાફેલા પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન હતું. સંભવ છે કે તે જિનાલયના નામ પરથી આ વિસ્તાર જીરાઉલાની પોળ તરીકે જાણીતો થયો હશે.
ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટી (સં. ૧૯૮૪) માં પૃ. ૬૧ પર આ જિનાલય વિશે નીચે મુજબ નોંધ આવે છે ?
- “જીરાઉલા પાડામાં નવી શ્રી નેમસૂરિની પ્રેરણાથી બંધાયેલી પાઠશાળા છે કે જેમાં ઉપરના બે માળે સાધુઓને ઊતરવાની સગવડ છે. પ્રથમ આ સ્થાને દહેરાં હતાં. જે મોટાં દેહરામાં ભેળવી દેવાયાં છે. આમાં એક ભોંયરું છે જેની કારીગરી ખાસ જોવા જેવી છે. પવાસનને કમાનો તેમજ ગોખલા વગેરે કારીગરી જોઈ ભૂતકાળની આપણી કીર્તિસ્મૃતિ તાજી થાય તેમ છે.”
ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ ગ્રંથ(સં. ૧૯૯૬)માં શ્રી નર્મદાશંકર ભટ્ટ પૃ. ૨૮ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ લખે છે :
“અગાઉ ત્યાં મૂળ ૭ દેહરાં હતાં. તે ઘણાં જીર્ણ થઈ ગયાં એટલે તે દેહરાની મૂર્તિઓ બીજા દેહરામાં પધરાવી... મૂળ ૭ દેહરામાં બીજા ૧૫ દેહરાં ઉમેરી કુલ ૨૨ દેહરાની મૂર્તિઓ બેસાડવામાં આવી છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org