SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ખંભાતનાં જિનાલયો કાર્ય ચાલી રહ્યું છે. રંગમંડપમાં પ્રવેશતાં જાણે કે કોઈ ઘરમાં પ્રવેશતાં હોઈએ તેવો આભાસ થાય છે. સન્મુખ જ શ્રી અમીઝરા પાર્શ્વનાથની શ્યામ વર્ણની અલૌકિક પ્રતિમા નજરે પડે છે. રંગમંડપમાં આરસનો તથા કાષ્ઠનો ઉપયોગ થયેલો છે. રંગમંડપમાં વચ્ચે ઝરૂખાઓની રચના છે. લાકડાની સુંદર કોતરણીવાળા ટોડલાઓ શોભાયમાન છે. થાંભલાઓ પર પણ સુંદર કોતરણી છે. રંગમંડપમાં જમણી બાજુ મહાવીરસ્વામી ભગવાનના ચૌમુખજીનું શિખરયુક્ત સમવસરણ નજરે પડે છે. ડાબી બાજુ કાગળ પર ચિત્રિત કરી કાચની ફ્રેમમાં મઢેલ શ્રી શત્રુંજય તીર્થનો પટ છે જેના પર સં. ૨૦૨૬ લખેલ છે. આ પટની નીચે લાકડાની નાની તકતી જેવું પાટિયું ભીંત પર જડેલ છે જેની કોતરણી ખૂબ જ સુંદર છે. પ્રથમ નજરે જોતાં પ્રસ્તુત લાકડાનો ટુકડો કે પાટ ઘણા જૂના સમયની હોય તેમ લાગે છે. રંગમંડપમાં મુખ્ય ગર્ભદ્વારની બંને બાજુ ઝરૂખા જેવી નાની બારીઓની રચના છે. | ગભારાની ભીંત પર હાલ ચિત્રકામ થઈ રહ્યું છે. છપ્પન દિકુમારીઓ ભગવાનને અભિષેક કરે છે તે ચિત્ર પૂર્ણ પણ થઈ ગયું છે. ગભારામાં પાષાણની કુલ ત્રેવીસ પ્રતિમાજીઓ છે જેમાં એક પ્રતિમા તપખીરિયા આરસની તથા એક પ્રતિમા ગુલાબી આરસની છે. ગભારામાં આદેશ્વરના આરસના પગલાંની એક જોડ પણ છે જેમાં સં. ૧૭૧૧નો લેખ છે. મૂળનાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમાજી શ્યામ રંગની છે અને તેઓનું પરિકર સફેદ આરસનું છે. મૂળનાયક પ્રતિમા પર લેખ નથી. મૂળનાયકના ડાબા ગભારે શ્રી નેમિનાથની આરસ પ્રતિમાજી તથા જમણા ગભારે શ્રી શીતલનાથની ધાતુપ્રતિમા બિરાજમાન છે. શીતલનાથજીની ધાતુ પ્રતિમાજી ઘણી જ જીર્ણ થઈ ગયેલી માલૂમ પડે છે. ટૂંકમાં આ જિનાલય સં૧૭૦૧ પહેલાના સમયનું છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. જીરાળા પાડો અભિનંદન સ્વામી-ઘરદેરાસર (સં. ૧૯૬૩ પહેલાં) જીરાળા પાડામાં એક મકાનમાં ત્રીજે માળ અગાશી પાસે આવેલી એક તદ્દન નાનકડી રૂમમાં આ ઘર જિનાલય આવેલું છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં અભિનંદન સ્વામીનું શિખર વિનાનું જિનાલય જીરાળાવાડામાં દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની એક પણ પ્રતિમાજી વિદ્યમાન ન હતી અને ધાતુની અગિયાર પ્રતિમાઓ બિરાજમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં અભિનંદન સ્વામીના જિનાલયનો ઉલ્લેખ થયેલો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy