________________
ખંભાતનાં જિનાલયો
૧૯૫
જીરાવળા પાડામાં
૪૦. અરનાથ સ્વામીનું.
૪૪. અમીઝરા પારસનાથજીનું. ૪૫. જીરાવલા પારસનાથજીનું. ૪૬. શાંતિનાથજીનું. ૪૭. નેમનાથસ્વામીનું. ૪૮. શાંતિનાથજીનું. ૪૯. ચંદ્રપ્રભુજીનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં જિરાળાપાડામાં અમીઝરા પાર્શ્વનાથજીનું જિનાલય ધાબાબંધી દર્શાવવામાં આવેલું છે. તે સમયે પાષાણની ચુંમાળીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. અને પગલાંની એક જોડનો પણ ઉલ્લેખ થયેલો છે.
જ્યારે ચંદ્રપ્રભુજીનું જિનાલય તે સમયે જીર્ણ અવસ્થામાં હતું અને પાષાણની બે પ્રતિમાજીઓ બિરાજમાન હતી. ચિંતામણિપાર્શ્વનાથના જિનાલયમાં જે ઓગણીસ જિનાલયો સમાવી લેવામાં આવ્યા છે. તે પૈકી એક ચંદ્રપ્રભુનું જિનાલય પણ છે. અમારી માન્યતા પ્રમાણે ઉપર્યુક્ત ઉલ્લેખ કરવામાં આવેલ ચંદ્રપ્રભુનું જિનાલય સમાવી લેવામાં આવ્યું હશે.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં જીરાલા પાડામાં અમીઝરા પાર્શ્વનાથજીના જિનાલયમાં પાષાણની વીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. આ જિનાલય વિશે પૃ. ૫૫ ઉપર નીચે મુજબની નોંધ આવે છે :
- “....ખાંચામાંથી બહાર નીકળી મોટા દેહરા તરફ જતાં જમણાં હાથે અમીઝરા પાર્શ્વનાથનું મોટું દહેરું છે. કહેવાય છે કે પહેલાં બિરાજમાન મૂળનાયકના બિંબ પર અમી સમા બિંદુઓ વળતા તેથી એ નામે પ્રભુશ્રીની ખ્યાતિ વિસ્તરી. રંગમંડપમાં નાના ચોમુખજી છે. ગભારામાં એક ધાતુનું બિંબ છે.”
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં જિરાળા પાડામાં અમીઝરા પાર્શ્વનાથજીના જિનાલયની બાંધણી ઘરદેરાસરની બાંધણી તરીકે દર્શાવી છે. તે સમયે જિનાલયમાં પાષાણના ત્રેવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતા અને વહીવટ શેઠ શ્રી કચરાભાઈ નેમચંદ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ તરફથી થાય છે.
આ જિનાલય પ્રથમ નજરે જોતાં ઘર જેવી બાંધણીનું લાગે છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ જિનાલય અગાઉ લાકડાનું હતું. જિનાલયના પ્રવેશવાના દ્વાર પાસે અંબાડીયુક્ત હાથીનું દર્શનીય શિલ્પ છે. બહારની બાજુએ કાષ્ઠ તથા સાદા પથ્થરનો ઉપયોગ થયેલો છે. જીર્ણોદ્ધારનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org