________________
૧૮૮
ખંભાતનાં જિનાલયો
વાસુપૂજ્ય દેહરઈ સતાવન જિનવર
ભૂધરઈ પનર બિંબ વીરશું એ મોહનપાસ જિન પ્રતિમા એ ચ્યાર દિન
ભૂઠરઈ પદ્મપ્રભુ જિનવરુ એ તિહાં પ્રભુ પચવીસ આદિ જિન છત્રીસ
ઋષભ જિન છગ્ય જિનેશરુ એ ૧ જિનેશરુ શ્રી ચંદ્રપ્રભુનઈ એકસુઅઢાર એ
ભુંઈરઈ શ્રી અમીઝરાઈ ઓગણચ્યાલીસ સાર એ શ્રી મુનિસુવ્રત દેહરઈ રે સષર મૂરતિ પ્યાર
જીરાઉલઈ શ્રી પાસ જિનનઈ છસઈ છ નિરધાર રે આમરાઈ ગિરિનારિ નેમિ જિન તેણિ જીરાઉલઈ થાપીયા એ મુંબઈ આદિ જિન અડસઠિ બિબ ધિન વંદીય સંઘવીય પાટકિ ગયા એ ૩
સં. ૧૯૦૦માં જીરાળાપાડા નામનો વિસ્તાર જિરાલો પાડો એ નામથી પ્રચલિત થયેલો હતો. તે સમયે આ વિસ્તારમાં કુલ અગિયાર જિનાલયો વિદ્યમાન હતાં.
અથ શ્રી જિરાલેપાઈ દેહરાં ૧૧ - તેહની વિગત - ૨૪. શ્રી ચંદ્રપ્રભુનું દેહરુ ૨૫. શ્રી શાંતિનાથનું દેહરુ ૨૬. શ્રી અમીઝરા પાર્શ્વનાથનું દેરું ૨૭. શ્રી નિરાવલિ પાર્શ્વનાથનું દેહરું ૨૮. તથા ભુંયરામાં આદિસર તથા નેમનાથ ૨૯. શ્રી નેમિનાથનું દેહરુ ૩૦. શ્રી વાસુપૂજયનું દેહ- આજીનું દેહરું ૩૧. ભુંયરામાં મહાવીરસ્વામી છે. ૩૨. શ્રી અભિનંદનસ્વામીનું દેહરું ૩૩. શ્રી અરનાથ- ગાંધીનું દેહરું ૩૪. શ્રી મનમોહન પાર્શ્વનાથ-હેમચંદસાનું દેહરું
સં. ૧૯૪૭ માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં જીરાવલા પાડામાં કુલ દસ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org