________________
ખંભાતનાં જિનાલયો
૧૮૭
બિરાજમાન છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની એકતીર્થી પ્રતિમા પર “સં. ૧૬૩૦’નો મૂર્તિલેખ છે. આ લેખ પર નીચે મુજબનું લખાણ વંચાય છે :
“સં. ૧૬૩૦... માઘ વદ ૨ રવિ... શ્રીમાળી જ્ઞાતિય વૃદ્ધ શાખામાં રંગાદે પુત્ર થાવર પુત્ર દોસી. હાથીકેણ પ્રતિષ્ઠિત ”
વળી, ધાતુના એક પદ્માવતી દેવી પણ બિરાજમાન છે. આજે આ વિસ્તારમાં મુખ્યત્વે જૈનેતરોની વસ્તી છે અને જિનાલયની દેખભાળ રાખવાની સમસ્યા ઉત્તરોત્તર વિકટ બનવાનો સંભવ છે.
ટૂંકમાં, આ ઘર જિનાલય સં૧૯૬૩ પહેલાનું છે.
જીરાળાપાડો
ખંભાતમાં આજે જીરાળાપાડા તરીકે પ્રસિદ્ધ વિસ્તાર સં. ૧૬૭૩ માં “જીરાઉલાની પોળ તરીકે પ્રચલિત હતો. તે સમયે આ વિસ્તારમાં કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હતાં જે પૈકી ત્રણ જિનાલયો ભોંયરાયુક્ત હતાં. આ પાંચેય જિનાલયોનો ઉલ્લેખ સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ગ્રંબાવતી તીર્થમાલામાં નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
આએ જીરાઉલાની પોલ્યમાં, પંચ ભુવન વષાર્ ! આએ શ્રી શંભણ ચઉ વૃંબશું, તીહાં બઈઠા એ જાણવું ૧૭ આહે શ્રી ચંદ્રપ્રભ ભૂયરઈ, બંબ સીત્યરી એ વંદું / આહે મુગટકુંડલ કડલી ભલી, કરિ દેશી આણંદુ /૧૮ી. આહે શ્રી જીરાઉલ ભેયરઈ, બંબ બહઈતાલીસ સાર /
આહે ઋષભભુવન ચો બંબશું, વીર ભંયરઈ બાર //૧૯ો. એટલે સંત ૧૬૭૩માં (૧) થંભણ પાર્શ્વનાથ (૨) ચંદ્રપ્રભસ્વામી (ભોંયરાયુક્ત) (૩) જીરાઉલા પાર્શ્વનાથ (ભોંયરાયુક્ત) (૪) ઋષભદેવ (૫) મહાવીરસ્વામી (ભોંયરાયુક્ત) – એમ કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હતાં.
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ-તીર્થમાલામાં આ વિસ્તાર જીરાઉલઈ પાટિક તરીકે પ્રસિદ્ધ હતો. તે સમયે આ વિસ્તાર ખંભાતમાં જિનશાસનનું મુખ્ય કેન્દ્ર હશે. સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાતિ તીર્થમાલાની શરૂઆત જીરાઉલઈ પાટિકથી થાય છે. તે સમયમાં આ વિસ્તારમાં આશરે તેર જિનાલયો વિદ્યમાન હતાં. પાટિક જીરાઉલઈ થંભણ ભેટિઉ ભલઈ
પંચ્યાસીય મૂરતિ પ્રણમશું એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org