________________
૧૮૬
ખંભાતનાં જિનાલયો
નાનો ગંધકવાડો પાર્શ્વનાથ - ઘરદેરાસર (સં૧૯૬૩ પહેલાં) નાના ગંધકવાડા વિસ્તારમાં દેરાસરવાળી ખડકીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘરદેરાસર આવેલું છે. આ જિનાલય પહેલા માળ પર છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં “ગંધકવાડો' વિસ્તારમાં શ્રી શાંતિનાથજીનું શિખર વિનાનું જિનાલય દર્શાવવામાં આવ્યું હતું. તે સમયે જિનાલયમાં ધાતુના ચૌદ પ્રતિમાજીઓ વિદ્યમાન હતા. પાષાણની એક પણ પ્રતિમા વિદ્યમાન ન હતી. ઉપરાંત તે સમયે જિનાલય જીર્ણ અવસ્થામાં હતું.
- સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ગંધકવાડામાં શાંતિનાથજીના જિનાલયને ઘરદેરાસર તરીકે દર્શાવવામાં આવેલું છે. તે સમયે ધાતુના ચૌદ પ્રતિમાજીઓ બિરાજમાન હતા. પ્રસ્તુત ગ્રંથના પૃ૦ ૫૪ પર ગંધકવાડા વિસ્તાર વિશે નીચે મુજબની નોંધ આવે છે :
પૂર્વકાળે કુમારવાડો ને ગંધકવાડો મહત્તા ધરાવતા હશે; પણ આજે તો ત્યાં જૈન વસ્તી વિખરાયેલી ને છૂટીછવાઈ છે. જૈનતરોની વસ્તી વધુ છે.”
સં. ૨૦૧૦ માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ગંધકવાડામાં શાંતિનાથજીનું જિનાલય ત્રીજે માળ હોવાનું દર્શાવવામાં આવેલું છે. તે સમયે ધાતુની બાર પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી. જિનાલયના વહીવટદાર તરીકે મોહનલાલ ઠાકરશીનો ઉલ્લેખ થયેલો છે.
સં. ૧૯૬૩માં આ જિનાલય જીર્ણ અવસ્થાવાળું હતું અને સંત ૨૦૧૦ માં મકાનની સ્થિતિ સારી દર્શાવેલી છે. એ પરથી અનુમાન કરી શકાય કે તે સમય દરમ્યાન જીર્ણોદ્ધાર થયો હશે.
સં. ૨૦૪૪ માં જૈન તીર્થધામ ખંભાત નામના ગ્રંથમાં શ્રી જે. પી. અમીન પૃ. ૮૯ પર ગંદૂકવાડામાં પાર્શ્વનાથ જિનાલયના ઘરદેરાસરનો ઉલ્લેખ કરે છે. તે સમયે ધાતુની ચૌદ પ્રતિમાઓનો પણ ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદ ૨૦૫રમાં પ્રગટ થયેલ “ચાલો સ્તંભન તીર્થે” નામના ગ્રંથમાં ગંદૂકવાડામાં પાર્શ્વનાથજીના ઘરદેરાસર ઉલ્લેખ થયેલો છે. આજે પણ એ પાર્શ્વનાથજીના ઘરદેરાસર તરીકે ઓળખાય છે. મૂળનાયક શાતિનાથજીના બદલે પાર્શ્વનાથજીના નામનો ઉલ્લેખ ક્યારથી શરૂ થયો તે અંગેની વધુ વિગત પ્રાપ્ત થઈ શકી નથી. આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
આજે ઉપલબ્ધ થતી માહિતી પ્રમાણે આ જિનાલયની વર્ષગાંઠ વૈશાખ સુદ સાતમના દિવસે આવે છે. આજે આ જિનાલયની દેખરેખ શ્રી કીકાભાઈ રતનલાલ રાખે છે જેઓ જીરાળાપાડામાં રહે છે.
જિનાલયના ગભારામાં આરસનો ઉપયોગ થયેલો છે. આજે પણ ધાતુની ચૌદ પ્રતિમાઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org