SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ખંભાતનાં જિનાલયો મોટો કુંભારવાડો શીતલનાથ (સં. ૧૬૭૩ પહેલાં) મોટો કુંભારવાડો - કુમારવાડો તરીકે ઓળખાતા આ વિસ્તારમાં શ્રી શીતલનાથજીનું મોટું શિખરબંધી જિનાલય આવેલું છે. આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. પરજાપત્યની પોલ્યમાં, શીતલ દસમુ દેવ ! પનર બંબ પ્રેમઈ નમું, સુપરશું સારું સેવ IIટી સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં કુંભારવાડામાં આદેશ્વરજીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. જે નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : કુંભારવાડઈ શ્રી આદીશ્વર એકસુ પનર જાંણુજી દંતારવાડઈ સોલ સમઉ પ્રભુ છ મૂરતિ વષાણુંજી ૧૩ સં. ૧૯૦૦માં શીતલનાથજીના જિનાલયનો ઉલ્લેખ કુંભારવાડામાં ક્રમાંક ૪૬માં દર્શાવવામાં આવેલો છે. અથ કુંભારવાડામાં દેહરાં - ૨ ૪૫. શ્રી માહાભદ્ર સ્વામી ૪૬. શ્રી સિતલનાથ દેહરું સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં કુંભારવાડા વિસ્તારમાં નીચે મુજબના જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે : કુંભારવાડામાં ૩૮. શીતલનાથજીનું ૩૯. વેરમાન(વિહરમાન) ૧૯મા માહાભદ્રસ્વામીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં શીતલનાથજીનું જિનાલય કુંભારવાડામાં દર્શાવવામાં આવેલું છે. તે સમયે જિનાલય શિખરબંધી દર્શાવવામાં આવ્યું છે. સં. ૧૯૬૩માં ખંભાતમાં કુલ છોત્તેર જિનાલયો વિદ્યમાન હતાં તે પૈકી માત્ર શીતલનાથજીનું આ જિનાલય જ શિખરબંધી હતું. તે સમયે આ જિનાલયમાં પાષાણની વીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં કુંભારવાડામાં આવેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy