________________
૧૮૦
ખંભાતનાં જિનાલયો - જિનાલયમાં રંગમંડપની છત સાદી છે. થાંભલાના ટોડલા તથા બારસાખ વગેરે કોતરણીયુક્ત છે. થાંભલાની સુંદર કોતરણીવાળી શિલ્પાકૃતિઓ જોઈ મન પ્રસન્ન થાય છે. રંગમંડપમાં ડાબી બાજુ ગોખમાં મોટા કદના કાઉસ્સગ્ગ મુદ્રાવાળી ધાતુની બે પ્રતિમાઓ છે. ઉપરાંત લાકડાનું અતિ સુંદર સમોવસરણ છે. સમોવસરણની રચના ખૂબ જ સુંદર અને કલાત્મક છે. સમવસરણની ત્રણ પર્ષદા છે પણ દેશના દેતા ભગવાન નથી. તેના શિખર પરના કળશની નીચેના ભાગમાં ફૂલ-પાંદડીની કોતરણી સાથે શિલ્પો નજરે પડે છે.
ગભારામાં મૂળનાયક શ્રી સંભવનાથજીની પ્રતિમાજીના દર્શન કરતાં મન આનંદિત થાય છે. અહીં પાષાણની કુલ સત્તર પ્રતિમાજીઓ છે. આદેશ્વરજીનાં પગલાંની એક જોડ છે. તેના પર લેખ છે જેમાં સં. ૧૨૦૮ની સાલનો ઉલ્લેખ છે.
ભોંયરામાં મૂળનાયક શ્રી શાંતિનાથજીની ૭૫ ઇંચ ઊંચાઈ ધરાવતી પ્રતિમાના દર્શન કરતાં અંતરમાં આનંદ ઊભરાય છે. અહીં રંગમંડપ સાદો છે. ભોંયરાના ત્રણે પ્રતિમાજીઓના ઘુમ્મટો – ઉપરના શ્રી સંભવનાથજીના રંગમંડપમાં આવે છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૯) ભોંયરામાં પાષાણની કુલ ત્રણ પ્રતિમાજીઓ છે.
જિનાલયની વર્ષગાંઠ વૈશાખ સુદ પાંચમને દિવસે આવે છે. આ જિનાલય ચમત્કારિક હોવાનું મનાય છે. સ્થાનિક કથા પ્રમાણે થોડા સમય પહેલાં જ નીચેના ભોંયરામાં આપમેળે ધૂપ થયો હતો અને ગુલાબ-ચંદનની સુગંધ ઘણે દૂર સુધી પ્રસરી હતી. એ સમયે લોકો જિનાલય ખોલી આ ચમત્કારિક ઘટના જોવા એકઠા થયા હતા. આંબેલની ઓળી હોય ત્યારે અહીં ભાવપૂર્વક નવપદજીની આરાધના થાય છે.
મૂળનાયકની પ્રતિમાજીઓ પર સં૧૬૭૦ - વૈશાખ સુદ પાંચમનો ઉલ્લેખ મળે છે. આજે પણ જિનાલયની વર્ષગાંઠ વૈશાખ સુદ પાંચમને જ ઊજવાય છે. એટલે કે આશરે ૪00 વર્ષ દરમ્યાન જીર્ણોદ્ધાર કે પુનઃ પ્રતિષ્ઠાના પ્રસંગો આવ્યા હોય તો પણ વર્ષગાંઠનો દિવસ આશરે ૪૦૦ વર્ષથી બદલાયો ન હોય તે એક વિરલ કહી શકાય તેવી ઘટના છે.
ટૂંકમાં આ જિનાલય સં૧૯૭૦ના સમયનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org