________________
ખંભાતનાં જિનાલયો
૧૮૧
લોકાપરી - ચિતારી બજાર ચંદ્રપ્રભસ્વામી - ઘરદેરાસર (સં. ૨૦૦૯)
ચિતારી બજારમાં આવેલાં લોં કાપરી વિસ્તારમાં પ્રવેશતાં જમણા હાથે ત્રીજા મકાનમાં ચંદ્રપ્રભસ્વામીનું ઘરદેરાસર આવેલું છે.
આ મકાનમાં સં. ૧૯૬૮માં શ્રી સુબોધ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી હતી તે અંગેનો ઉલ્લેખ સં. ૨૦૩૨માં પ્રગટ થયેલ ખંભાતનું સાંસ્કૃતિક દર્શન ગ્રંથમાં પૃ. ૩૫૮ ઉપર શ્રી નર્મદાશંકર ભટ્ટ નીચે મુજબ કરેલો છે :
“સંત ૧૯૫૬માં શ્રી અંબાલાલભાઈના પ્રયાસથી પુસ્તકાલયની શરૂઆત થઈ. એક ભાડાના મકાનમાં સંત ૧૯૫૬માં તેની સ્થાપના કરવામાં આવી અને શ્રીમદ્ રાજચંદ્રજીની ઇચ્છાનુસાર તેનું નામ “શ્રી સુબોધ પુસ્તકાલય' રાખવામાં આવ્યું. પાછળથી અમદાવાદના ગૃહસ્થોની મદદથી સંવત ૧૯૬૮ માં લોકોપરામાં એક મકાન બાંધવામાં આવ્યું અને તેમાં પુસ્તકો રાખવામાં આવ્યાં તથા શ્રી રાજચંદ્રનો ફોટો વગેરે રાખવામાં આવ્યું. તેનું ઉદ્ઘાટન ખંભાતના દીવાન શ્રી માધવરામના હાથે કરવામાં આવ્યું. આ પુસ્તકાલય તેમની જ્ઞાનની તથા ધર્મની પ્રવૃત્તિનું ક્ષેત્ર બની ગયું. વડવાક્ષેત્ર ન હતું ત્યાં સુધી અહીં પ્રવૃત્તિ રહેતી.'
મકાનમાં ત્રીજે માળના એક મોટા હોલમાં જિનાલય આવેલું છે. આરસના ઓટલા જેવી રચના પર નાની છત્રીમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામીની પાષાણની ૧૧ ઇંચ ઊંચાઈ ધરાવતી પ્રતિમા બિરાજમાન છે. પ્રતિમા પર કોઈ લેખ નથી. અહીં મૂળનાયકની ડાબી બાજુ ધર્મનાથની અને જમણી બાજુ શાંતિનાથની પ્રતિમા બિરાજમાન છે. અહીં પાષાણની કુલ ત્રણ પ્રતિમાજી અને ધાતુની પાંચ પ્રતિમાજીઓ છે. છત્રીના ઘુમ્મટ પર નાની ધજા છે. મૂળનાયકની પાછળની દીવાલ પર ચિત્રકામ થયેલું છે.
જિનાલયની સ્થાપના સં. ૨૦૦૯માં થયેલી છે જિનાલયનો વહીવટ સુબોધક પુસ્તકશાળા હસ્તક છે. જિનાલયથી ચાર પગથિયાં ઊતરતાં એક રૂમ આવે છે. રૂમમાં શ્રીમદ્ રાજચંદ્રજીના ફોટા ઉપરાંત સમેતશિખર શત્રુંજય તથા ગિરનારના ફોટાઓ મૂકેલા છે. શ્રીમદ્ જે પલંગ પર સૂતા હતા તે પલંગ અહીં યાદગીરીરૂપે રાખવામાં આવેલ છે.
ટૂંકમાં આ ઘરદેરાસરની પ્રતિષ્ઠા સં. ૨૦૦૯માં થયેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org