________________
ખંભાતનાં જિનાલયો
૧૭૯
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ વિસ્તાર બોરપીપળા વિસ્તારમાં સમાવિષ્ટ થયેલો માલૂમ પડે છે. તે સમયે અહીં વજે ચીતામણ પારસનાથ તથા સંભવનાથ(ભુંઈરામાં શાંતીનાથ)નો ઉલ્લેખ ક્રમાંક ૧૭ અને ૧૮માં કરવામાં આવ્યો હતો. સંભવનાથના જિનાલયમાં ભોંયરામાં ત્રણ મોટા બિંબ છે તેવી નોંધ પણ કરવામાં આવી હતી.
એટલે કે વાઘમાસીની ખડકીમાં વિદ્યમાન સંભવનાથ-શાંતિનાથનું સંયુક્ત જિનાલય સંવ ૧૬૭૩માં પર્આની પોળ ના વિસ્તારમાં દર્શાવવામાં આવેલું હતું. એટલે કે તે સમયે એ વિસ્તાર પર્આની પોળ તરીકે જાણીતો હતો. સં. ૧૭૦૧માં આ વિસ્તારના આ જિનાલયની બોરપીપલિ નામના વિસ્તારમાં ગણના થતી હતી જ્યારે સં. ૧૯૦૦માં આ જિનાલય માનકુંવરબાઈની શેરીમાં દર્શાવવામાં આવ્યું છે. એટલે કે તે સમયે આ વિસ્તાર માનકુંવરબાઈની શેરી તરીકે પ્રચલિત હતો. સં. ૧૯૪૭માં ફરી એક વાર આ વિસ્તાર બોરપીપળા વિસ્તારમાં ગણવામાં આવ્યો છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં વાઘમાસીની ખડકીના નામનો ઉલ્લેખ આવતો નથી પરંતુ બોરપીપળામાં શ્રી વજે ચિંતામણિ પાર્શ્વનાથ તથા સંભવનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે તે સમયે આજની વાઘમાસીની ખડકીના વિસ્તારનો બોરપીપળા વિસ્તારમાં સમાવેશ થતો હતો.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર વાઘમાસીની ખડકી એ મુજબનો ઉલ્લેખ આવે છે. તે સમયે તે વિસ્તારમાં સંભવનાથ-શાંતિનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. ભોંયરાનો પણ ઉલ્લેખ થયેલો છે. તે સમયે સંભવનાથજીના જિનાલયમાં પાષાણની અઢાર પ્રતિમાજીઓ અને ભોંયરામાં શાંતિનાથજીના જિનાલયમાં પાષાણની ત્રણ પ્રતિમાજીઓ – એમ પાષાણની કુલ એકવીસ પ્રતિમાજીઓનો ઉલ્લેખ મળે છે. આ જિનાલય વિશે પૃ. ૫૩ ઉપર નીચે પ્રમાણે નોંધ જોવા મળે છે :
“વાઘમાસીની ખડકીમાં... સંભવનાથનું દેહરૂ વિશાળ તેમજ ભોમતી અને ભોંયરાવાળું ઊભી બાંધણીનું છે. બાજુના ગોખલામાં બે ધાતુના મોટા કદના કાઉસ્સગ્ગ મુદ્રાવાળાં બિંબો છે. આ દેહેરે આયંબિલની હોળી વેળાએ સ્ત્રીવૃંદ એકત્ર થઈ નવપદજીની આરાધના ભાવપૂર્વક ધરે છે. ભોંયરામાં વિશાળ કદના ત્રણ બિંબો છે. વ્યવસ્થા જૈન શાળા કમિટી હસ્તક છે.'
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે કરવામાં આવ્યો છે. તે સમયે પાષાણની વીસ પ્રતિમાજીઓ જિનાલયમાં વિદ્યમાન હતી. ઉપરાંત ધાતુની એક ગુરુમૂર્તિનો ઉલ્લેખ છે. ભોંયરામાં જિનાલય છે એ મુજબનો ઉલ્લેખ છે. પરંતુ શાંતિનાથના જિનાલયનો અલગ કે સંયુક્ત રીતે સ્પષ્ટ ઉલ્લેખ થયેલો નથી. તે સમયે આ જિનાલયનો વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. આજે જિનાલયનો વહીવટ જૈન શાળા હસ્તક છે.
આ જિનાલયની નોંધપાત્ર વિશેષતા એ છે કે સં૧૯૭૩માં આ જિનાલયને ભોંયરાયુક્ત દર્શાવ્યું છે. સં. ૧૭૦૧માં, સં. ૧૯૦૦માં અને આજ પર્યત આ જિનાલય ભોંયરા સાથે જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org