________________
૧૭૮
ખંભાતનાં જિનાલયો
વાઘમાસીની ખડકી સંભવનાથ-શાંતિનાથ (સં. ૧૬૭૦)
વાઘમાસીની ખડકીમાં પ્રવેશતાં જ બહારથી મોરપીંછ રંગ અને અંદરથી ગુલાબી રંગ કરેલ શ્રી સંભવનાથજી – શ્રી શાંતિનાથજીનું બે માળનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. આ જિનાલય ઘણું વિશાળ (આશરે ૪૯૬ ચો. વાર) તેમજ ભોમતી અને ભોંયરાવાળું છે.
મૂળનાયક શ્રી સંભવનાથજીની પ્રતિમા પરના લેખમાં “સં૦૧૬૭૦ વૈશાખ સુદ પાંચમ ... વિજયસેનસૂરિ' –એવું લખાણ વંચાય છે. ઉપરાંત આ સમયે જ પ્રતિષ્ઠા થયેલ અન્ય પાષાણબિંબો પણ છે.
ભોંયરામાં મૂળનાયક શ્રી શાંતિનાથજીની ડાબી બાજુ શ્રી સુવિધિનાથ તથા જમણી બાજુ શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે. આ ત્રણે પ્રતિમાજીઓ મોટા કદની છે. ત્રણેય પ્રતિમાજીઓના પબાસન પર લેખ કોતરેલા છે જેમાં – “સં. ૧૬૭૦ થંભન તીર્થે વૈશાખ માસે શુક્લ પક્ષે પાંચમ .. અકબૂર ... વિજયસેનસૂરિ:' એ મુજબનું લખાણ મુખ્યત્વે વંચાય છે.
સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં આ સંભવનાથ - શાંતિનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે.
પટૂઆ કેરી પોલિ સંભારી, સંભવનાથ પૂજો નરનારી, ઘઉ પરદષ્મણ સારી, હો. /૧૨ પંચાસ બંબ તણો પરિવાર, ભેયરિ શાંતિનાથ જયન સાર, - નીતિ કરું જોહાર, હો. /૧૩
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં સંભવનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
.......બોરપીપલિ ઉલ્હસઈ સંભવનાથ કિરતી ભુંઈરા સહીત પંચ્યાસી જિન સુંદ એકસુતર વિજય ચિંતામણિ નમતાં આલસ પરિહરું
સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં વાઘમાસીની ખડકીનો કોઈ ઉલ્લેખ થયેલો નથી પરંતુ માનકુંવર બાઈની પોળના નામ સાથે કુલ ત્રણ જિનાલયોનો ઉલ્લેખ છે. જે પૈકી, ઉપર્યુક્ત સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૧, ૬૨માં નીચે મુજબ થયેલો છે :
અથ માનકુંવરબાઈની સેરીમાં દેહરા - ૩ ૬૧. શ્રી સંભવનાથનું દેહરુ દક્ષિણ સન્મુખ ૬૨. શ્રી ભંયરામાં શાંતિનાથ દક્ષિણ સન્મુખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org