________________
ખંભાતનાં જિનાલયો
૧૭૭
અથ કીકા જિવરાજની પોલમાં દેહરું - 1 ૬૦. શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ વિસ્તાર બોરપીપળા વિસ્તારમાં સમાવિષ્ટ થયેલો છે તે અહીં વજેચતામણ પારસનાથ અને સંભવનાથ (ભોંયરામાં શાંતિનાથ)નો ઉલ્લેખ ક્રમાંક ૧૭ અને ક્રમાંક ૧૮માં કરવામાં આવ્યો છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં બોરપીપળા વિસ્તારમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથજીના જિનાલયનો ઉલ્લેખ આવે છે તે સમયે જિનાલય ધાબાબંધી હતું અને પાષાણની સાત પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી હતી.
એટલે કે આજે વાઘમાસીની ખડકીમાં વિદ્યમાન શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૭૩માં ઊંચી શેરી વિસ્તારમાં, સં૧૭૦૧માં બોરપીપળા વિસ્તારમાં, સં૧૯૦૦માં કીકા જિવરાજની પોલમાં તથા સં. ૧૯૪૭માં અને સં૧૯૬૩માં બોરપીપળા વિસ્તારમાં એમ જુદા જુદા સમયે જુદા જુદા નામવાળા વિસ્તારમાં પ્રાપ્ત થાય છે. - સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં વિજયચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ વાઘમાસીની ખડકી નજીક બજારના રસ્તા પર જણાવેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની સાત પ્રતિમાજીઓ બિરાજમાન હતી. પૃ. ૫૩ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબ નોંધ આવે છે :
ખડકી બહાર નીકળતાં સામે શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથનો પ્રાસાદ છે. મૂર્તિ પુરાણી છે'. તે સમયે વહીવટ જિનાલયની નજીક વસતાં છોટાલાલ સકળચંદ હસ્તક હતો.
સં૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં વાઘમાસીની ખડકીમાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે પણ પાષાણની સાત પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે મૂળનાયકની પ્રતિમા પર સં. ૧૬૭૭નો લેખ હોવાનો ઉલ્લેખ છે. રંગનું ચિત્રકામ સુંદર હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જિનાલયનો વહીવટ શેઠ રમણલાલ વજેચંદ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ શેઠ રમણલાલ વજેચંદ શાહ પરિવાર હસ્તક છે.
આ જિનાલય આરસનું બનેલું છે. જિનાલયનો છેલ્લો જીર્ણોદ્ધાર સં. ૨૦૩૮-૩૯ દરમ્યાન થયેલો હોવાથી નૂતન શૈલીનું દેખાય છે. રંગમંડપ લાંબો મોટો છે. રંગમંડપની ડાબી બાજુની દીવાલ પર શત્રુંજય અને જમણી બાજુની દીવાલ પર ગીરનારજીનો પટ છે.
ગર્ભદ્વાર ત્રણ છે. મૂળનાયકની જમણી બાજુના ગભારે સંભવનાથ અને ડાબી બાજુના ગભારે મહાવીર સ્વામીની પ્રતિમા બિરાજમાન છે બંને પ્રતિમાઓ પર સં. ૨૦૦૨નો મૂર્તિલેખ છે. ગભારામાં પાષાણની કુલ નવ પ્રતિમાજીઓ છે.
ઉપલબ્ધ પ્રમાણોને આધારે જિનાલય સં. ૧૭૦૧ પહેલાંના સમયનું છે. તેથી વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વિશેષ સંશોધનની જરૂર છે.
0
0
0
ખંભા. ૧૨ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org