________________
૧૭૪
ખંભાતનાં જિનાલયો
વાઘમાસીની ખડકી
ખંભાતમાં આજે વાઘમાસીની ખડકીના નામે પ્રચલિત વિસ્તારનો કેટલોક ભાગ અગાઉ સં. ૧૬૭૩માં પટુઆ પોલ તથા કેટલોક ભાગ ઊંચી શેરીના નામે પ્રસિદ્ધ હતો. એટલે કે વાઘમાસીની ખડકીનો વિસ્તાર (૧) પટુઆ પોલ અને (૨) ઊંચી શેરી એમ બે વિભાગમાં વહેંચાયેલો હતો. તે સમયે પટુઆ પોલમાં સંભવનાથ – ભોંયરામાં શાંતિનાથ અને ઊંચી શેરીમાં બે જિનાલયો (૧) પાર્શ્વનાથ (૨) વિમલનાથ – મળીને કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં. તેનો ઉલ્લેખ સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
પટૂઆ કેરી પોલિ સંભારી, સંભવનાથ પૂજો નરનારી, ઘઉ પરદષ્મણ સારી, હો. ૧૨ પંચાસ બંબ તણો પરિવાર, ભેયરિ શાંતિનાથ જયન સાર, નીતિ કરું જોહાર, હો. ૧૩ ઊંચી સેરીમાં હવઈ આવઈ, પાસ તણો પ્રાસાદ વધાવઈ, અઢાર વ્યંબ ચિત ભાવઈ, હો. I/૧૪ વિમલનાથનું દેહરું સાતમું, ઈગ્યાર બૂબ દેશી શર નામું
સકલ પદારથ પામું, હો. ll૧૫ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં આ વિસ્તાર બોર પીપળા તરીકે જાણીતો હતો. તે સમયે આ વિસ્તારમાં (૧) સંભવનાથ (ભોંયરા યુક્ત) (૨) વિજય ચિંતામણિ પાર્શ્વનાથ - એમ કુલ બે જિનાલયો વિદ્યમાન હતાં. જેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલા છે :
..બોરપીપલિ ઉલ્હસઈ
સંભવનાથ કિરતી ભુંઈરા સહીત પંચ્યાસી જિન સુંદરૂ એકસુ સતર વિજય ચિંતામણિ નમતાં આલસ પરિહરુ // ૪
સં. ૧૭૦૧ માં સૌ પ્રથમવાર બોરપીપળા નામના વિસ્તારનો ઉલ્લેખ મળે છે. આજે બોરપીપળા તરીકે જાણીતો વિસ્તાર તે સમયે સાલવી વાડ કે સાવલીની પોળ તરીકે ઓળખાતો હતો. અને તે વિસ્તારમાં, આજે બોરપીપળામાં વિદ્યમાન (૧) સંભવનાથ (૨) મુનિસુવ્રત (ભોંયરાયુક્ત) અને (૩) નવપલ્લવ પાર્શ્વનાથ – એમ કુલ ત્રણ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે સાલવીવાડ કે સાલવીની પોળના આ જિનાલયોનો ઉલ્લેખ બોરપીપળાના (આજની વાઘમાસીની ખડકી) જિનાલયોના ઉલ્લેખ પછી આવે છે.
સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં ફરી એક વાર વાઘમાસીની ખડકીનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org