SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૧૭૩ જિનાલયમાં પ્રવેશ્યા પછી રંગમંડપમાં ડાબી બાજુની દીવાલ પર અમરકુમાર, અષાઢાભૂતિ તથા અવંતિકુમારના ચરિત્ર ચિત્રિત કરેલા છે. આગળ શત્રુંજય મહાતીર્થનો કોતરેલો રંગીન પટ છે. સુમતિનાથજીના પંચ કલ્યાણકના પટના દર્શન થાય છે. તેનાથી આગળ વધતાં કેસરિયાજી, આબુજી, તારંગાજી, સમેતશિખરજીના પટ એક જ દીવાલ પર ચિત્રિત કરેલા છે. મૂળનાયકની પાછળની દીવાલ પર કામદેવ શ્રાવક તથા સુલસા શ્રાવિકા ચરિત્રો ચિત્રિત છે. વળી, અષ્ટાપદજી તથા પારણું કરાવતા ગૌતમસ્વામીનો પ્રસંગ હોવા ઉપરાંત તેની નીચેના પટમાં રાજગૃહી, મહાવીરસ્વામી, પાવાપુરી તથા ચંપાપુરી ચિત્રાંકન પામ્યા છે. તદુપરાંત, ભારત રાજાનો દરબાર પણ ચિત્રિત થયેલો જોવા મળે છે. ત્રીજી દીવાલ પર શ્રીપાલ-મયણાનો પ્રસંગ, સુદર્શન શેઠનું ચારિત્ર, ઈલાચીકુમાર ચરિત્ર, મહાવીર સ્વામીના ત્રણ ઉપસર્ગો, આદિનાથજીના પારણા વગેરેનું સુંદર ચિત્રકામ છે. ગભારાની બિલકુલ પાછળની દીવાલમાં જમણા ખૂણે નાના ગોખમાં બિરાજમાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા થોડાક સમય પહેલાં જ કરવામાં આવેલ છે. શંખેશ્વર પાર્શ્વનાથજીના ગોખની નીચેની દીવાલ પર લેખ છે જે નીચે મુજબ છે : “નમો નમઃ શ્રી ગુરુ નેમિ સૂરયે શાસન સમ્રાટ ૫૦ પૂ. આચાર્ય મ0 શ્રી વિજયનેમિ વિજ્ઞાન કસ્તૂર-ચંદ્રોદયસૂરિશ્વરજી મ.સા. ના શિષ્ય રત્ન પ્રશાંતમૂર્તિ પપૂ. પંન્યાસ પ્રવર શ્રી અજીતચંદ્રવિજયજી ગણિવર્ય મન્સાતથા ૫૦ પૂ ગણિવર્ય વિનીતચંદ્રવિજયજી મ.સા.ની શુભ નિશ્રામાં શ્રીયુત અમરચંદ ભગુભાઈના સુપુત્રો ચીમનલાલ, જયંતિલાલ, કીર્તિકુમાર, બીપીનકુમાર આદિ પરિવારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા સંવત ૨૦૪૧ વૈશાખ સુદ ૭ ને શનિવારના રોજ કરાવેલ છે.' જિનાલયના અલગ રંગમંડપમાં પદ્માવતી દેવી, મહાલક્ષ્મી દેવી તથા સરસ્વતી દેવીની પાષાણની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરેલ છે. આરસની બનેલી સુંદર કોતરણીવાળી છત્રીયુક્ત ગોખમાં આ મૂર્તિઓ બિરાજમાન છે. છત્રીના થાંભલા ઉપર પણ સુંદર કોતરણી છે. તેમાં મધ્યે બિરાજમાન પદ્માવતીદેવીની પ્રતિષ્ઠા સં૨૦૪૧ વૈશાખ સુદ ૬ ને શનિવારે તથા આજુબાજુમાં બિરાજમાન સરસ્વતીદેવી તથા મહાલક્ષ્મી દેવીની પ્રતિમાની પ્રતિષ્ઠા સં. ૨૦૫૪માં મહા વદ ૧૦ ને રવિવારે શ્રીમદ્ વિજયગુણશીલસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં થયેલી છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૦૦ પહેલાના સમયનું છે એટલો આધાર મળે જ છે. મૂળનાયકના પ્રતિમા લેખો પરથી આપણે તેને સં. ૧૬૬૪નું ગણવા માટે વધુ સંશોધન અને પુરાવાઓની જરૂર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy