SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં૰ ૧૯૦૦માં નીચે મુજબ મળે છે : અથ ચોલાવાડામાં દેહવું ૧ ૬૪ શ્રી મેરુ પર્વતની સ્થાપના શ્રી સુમતિનાથનો ચઉમુખ દેવકુંયરબાઈનું દેહરું. એટલે કે આ જિનાલય ૧૯૦૦માં દેવકુંવરબાઈનું દેહું તરીકે જાણીતું હતું. ઉપરાંત મેરુ પર્વતની સ્થાપનાનો ઉલ્લેખ પણ આ જિનાલયમાં થયેલો છે : ખંભાતનાં જિનાલયો સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોળાવાડામાં સુમતીનાથજીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૧૯માં થયેલો છે : ચોળાવાડામાં ૧૯ સુમતીનાથજીનું. સં૰ ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સુમતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ ચોળાવાડો વિસ્તારમાં ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી છે. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ચોળાવાડામાં સુમતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ ચૌમુખજી તરીકે થયેલો છે. તે સમયે પાષાણની ચાર પ્રતિમાજીઓ બિરાજમાન હતી. પૃ॰ ૫૩ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ મળે છે ઃ ‘ચોળાવાડામાં ... સુમતિનાથ પ્રભુનો ચોમુખી દશાસૂચક, ત્રિગઢનો ખ્યાલ આપતો કોરણીવાળો દેખાવ દર્શનીય છે.' તે સમયે જિનાલયનો વહીવટ વજેચંદ ખીમચંદ અને પોપટલાલ પાનાચંદવાળાને હસ્તક હતો. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ચોળાવાડામાં સુમતિનાથના જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયેલો છે. તે સમયે પાષાણની ચાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. ઉપરાંત ધાતુની એક ગુરુમૂર્તિનો ઉલ્લેખ આવે છે. તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી અને જિનાલયનો વહીવટ શેઠ મનસુખલાલ બાબુલાલ હસ્તક હતો. આજે જિનાલયનો વહીવટ પ્રકાશભાઈ ચીમનલાલ શાહ તથા સંદીપભાઈ હસમુખલાલ શાહ હસ્તક છે જેઓ ચોળાવાડામાં જ રહે છે. આ જિનાલયની વર્ષગાંઠ મહા સુદ ૧૦ ને દિવસે આવે છે અને ઉપર જણાવ્યા મુજબ ચૌમુખજીના ચારેય પ્રતિમાજી પરના લેખમાં સં ૧૬૬૪ની સાથે મહા સુદ ૧૦ નો જ ઉલ્લેખ સ્પષ્ટ રીતે થયેલો છે. જિનાલયનો મુખ્ય દરવાજો કાષ્ઠની સુંદર કોતરણીવાળો છે. જિનાલયમાં રંગમંડપ તથા ગભારાની દીવાલો પરનું ચિત્રકામ દર્શનીય છે. અહીં આપણને વિવિધ તીર્થનાં પટ તથા ચરિત્રો અને જીવનપ્રસંગોનાં ચિત્રાંકનો પ્રાપ્ત થાય છે. વળી ગર્ભદ્વારની લાકડાની કોતરણી, ગર્ભદ્વાર પાસેના દ્વારપાલનાં કાષ્ઠ શિલ્પો, કાષ્ટના થાંભલા તથા ચોકીની કોતરણી ઘણી જ કલાત્મક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy