SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ખંભાતનાં જિનાલયો ચિતારી બજાર આદેશ્વરજી (સં. ૧૯૦૦ પહેલાં) સાગોટા પાડો-હાલના ચિતારી બજાર નામે પ્રસિદ્ધ વિસ્તારમાં એક જ કંપાઉંડમાં આવેલચોમુખજી તથા ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની સામે આદેશ્વરજીનું શિખરબંધી જિનાલય આવેલું છે. મૂળનાયક આદેશ્વરજીની પ્રતિમા પર કોઈ લેખ નથી. આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં પ્રાપ્ત થાય છે. તે સમયે સાગોટાપાડામાં વિદ્યમાન ચાર જિનાલયો પૈકી આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૫૩માં નીચે મુજબ થયેલો છે. તે સમયે પણ આ જિનાલય દક્ષિણાભિમુખ દર્શાવવામાં આવ્યું હતું. અથ સાગોટાપાડામાં દેહરાં ૪ની વિગત ૫૦.શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૫૩. શ્રી આદિસર ભગવાનું દેહરું દક્ષિણ સન્મુખ સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૨૮માં દંતારવાડા વિસ્તારમાં કરવામાં આવ્યો છે. દંતારવાડામાં ૨૨. શાંતિનાથનું. ૨૬. ચીંતામણ પારસનાથજીનું ૨૭.ગોડી પારસનાથજીનું ૨૮.રીખદેવ સ્વામીનું. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આદેશ્વરજીનું આ જિનાલય બજાર વચ્ચે ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની ઓગણત્રીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં સાગોટાપાડામાં આવેલા આદેશ્વરજીના જિનાલયમાં પાષાણની ત્રીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તે સમયે જિનાલયનો વહીવટ નેમચંદ સકરચંદના પુત્ર હસ્તક હતો. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આદેશ્વરજીનું જિનાલય બજારમાં ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની અઠ્ઠાવીસ પ્રતિમાજીઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy