________________
ખંભાતનાં જિનાલયો
૧૬૭
વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના પરમાશિષપૂર્વક તપગચ્છ જૈન અમરશાળા સંઘે આ ચૈત્યનો જીર્ણોદ્ધાર કરવાનો પ્રારંભ કર્યો હતો. તેની પૂર્ણાહુતિ તેજ પરમારાધ્ય પાશ્રીના લઘુબંધવા તપસ્વી સમ્રાટ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરી મસા. તેમજ સુવિશાલ ગચ્છાધિપતિ આ. દેવ, શ્રી શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મ. સાહેબની પાવની ઉપસ્થિતિમાં વિ. સં. ૨૦૫૧ સાલનાં વૈશાખ સુદ ૧૦, બુધવારે તા. ૧૦-પ-૯૫ના શુભદિન શુભમુહૂર્ત પરિપૂર્ણ થયો છે. તથા તે જ દિવસે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભટ ના ઘુમ્મટ પર ધ્વજાદંડ તથા ધ્વજા ચડાવેલ છે.
કલ્યાણ મસ્તુ ||
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભટ ના પ્રાચીન શ્રી જિનમંદિરની નગર સન્મુખ દષ્ટિ સંપાદન કરવાના મંગલહેતુથી નવનિર્મિતિ થયેલ આ ચતુર્મુખ શ્રી જિનાલય સ્વપૂ. આ. ભ. શ્રી કર્મસાહિત્યનિષ્ણાત શ્રી પ્રેમ સૂ મોના પટ્ટાલંકાર પરમશાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય રામચન્દ્રશ્વરજી મ. સાહેબ ૯૫ વર્ષની વૃદ્ધ વયે વિશાલ
સાધુ-સાધ્વી ભ૦ ની તથા વિશાળ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં સં૨૦૪૬ જેઠ વદ 1 રના પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. પ્રવેશદ્વારની ડાબી બાજુ સ્વસુવિશાલ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્ર સૂરીશ્વરજી મ. નું ભવ્યાતિભવ્ય ગુરુ મંદિર શોભી રહ્યું છે. જેઓની અંતિમ ચાતુર્માસ ભૂમિ ખંભાત નગર બની હતી. તેઓના સંસારી મામા ફુલચંદ લાલચંદ દહેવાણવાળા પરિવાર એ ગુરુમંદિર તથા ગુરુમૂર્તિનો સંપૂર્ણ લાભ લઈ અદ્વિતીય વર્ધમાન તપારાધના સૂરિપ્રેમના પટ્ટાલંકાર પૂ. આ. ભ. શ્રી રાજતિલક સૂઇ મ. તથા સૂરિરામના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ આ. ભ. શ્રી મહોદય સૂટ મની નિશ્રામાં સં૨૦૫૧ વૈ. સુ. ૭ રવિવારના રોજ પ્રતિષ્ઠા થયેલ, તથા પ્રવેશદ્વારની જમણી બાજુ પૂનીતિવિજયજી દાદા, પૂ, વિરસૂરિ મ., પૂ, ખાન્તિ વિજય મ, પૂ. વિજયાનંદસૂરિ મ., પૂ. કમળસૂરિ મ, પૂ. દાનસૂરિ મ., પૂ. લબ્ધિસૂરિ મ. તથા પૂ. પ્રેમસૂરિ મની ગુરુમૂર્તિઓ શોભી - રહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org