SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ • તે વિજયસિંહને દેવસિંહ નામે કુલમાં ઉદ્યોતને કરનારો પુત્ર થયો. • તે વિજયસિંહ રાજા વિદ્વાન પુરુષોમાં પ્રશંસાપાત્ર યશના નિધિ સમાન એવા યશઃકીર્તિ આચાર્યના પ્રતિબોધથી અરિહંત ભગવાનની ત્રિકાલ પૂજા કરતો હતો. • હુંકાર વંશમાં જન્મેલ સાઙ્ગન સિંહપુર વંશમાં જન્મેલ જેતાજી પ્રહલાદ નામના શ્રાવકનું વર્ણન કરેલ છે. • શોભદેવ, ધાંધુ, કહ્યુ, હલ્લ, રાહડ, ગજગતિ, તેના પુત્રો ધામા, નભોપતિ, નોડેક શુભ શૌડ, ઘહેડ, સોમ, અજયદેવ, ખેતહિર, વાયણ, દેદાશેઠ, રત્ના, છાજુ, આદિ શાહુકાર થયા હતા તેઓ જિનભક્ત હતા, તે સર્વેએ પાર્શ્વનાથ ભગવાનની વિધિપૂર્વક પૂજા થતી રહે તે માટે લાગો બાંધ્યો. . ખંભાતનાં જિનાલયો વસ્ત્ર, ખાંડ, કુષ્ટ, મુરૂ, માસી, સટંકણ, ચામડું, રંગ, આદિથી ભરેલા એક બળદ દીઠ એક દ્રમ્મ; ગોળ, ખાંડ, કાંબલ, તેલ આદિ દ્રવ્યોથી ભરેલ બળદ દીઠ અડધો દ્રમ્મ એમ માલ ઉપર કર નાંખવામાં આવ્યો. આ કર વડે પાર્શ્વનાથ પ્રભુની પૂજા વગેરે થાય તેવું લખાણ સંવત ૧૩૫૨માં કર્યું. આ લખાણ કર્યું ત્યારે સારંગ દેવ રાજા રાજ્ય કરતો હતો, જે મંદિરના ખર્ચ માટે લાગો બાંધ્યો તેની દેખરેખ નાના, તેજા, ધના, મોષા, આહરા, દેવો, અજયદેવ ભોજદેવ, આલ્ય રત્નાશેઠ આદિ રાખતા હતાં. આ પ્રશસ્તિ વિ૰ સં૰ || છ..... ૬૪૩ || ડ. સોમાએ લખી અને સૂત્રધાર પાલ્લાકે કોતરી છે. ॥ કલ્યાણ થાઓ | (જિનાલયના જીર્ણોદ્ધાર અંગેનો લેખ) શ્રી ગંધારના વતની ૫ જસિયા તેની ભાર્યા જસમાદે હાલ સ્તમ્ભતીર્થ નગરમાં રહેનાર તેમના પુત્ર રત્નપરીક્ષકોમાં અગ્રણી શ્રાવકરત્ન પ વાજીયા પ રાજીયા તેમની પત્ની વિમલાદે, કમલાદે, વડીલભાઈના પુત્ર મેઘજીના પત્ની મયગલદે આદિ પરિવારથી યુક્ત પરમતારક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન અને વર્ધમાનસ્વામીની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રી ચિંતામણિ ભગવાનના ચૈત્યમાં કરાવી. Jain Education International સમ્રાટ અકબર બાદશાહ પ્રતિબોધક પૂ પા આચાર્ય શ્રી હીરસૂરીશ્વરજી મ ના પટ્ટ પ્રભાવક નિઃસ્પૃહ શિરોમણિ, વાજીયા રાજીયા શ્રેષ્ઠીનાં પ્રતિબોધક પૂ પાદ આચાર્ય ભ શ્રી વિજયસેન સૂ મ ના વરદ હસ્તે વિ૰ સં ૧૬૪૪ શાલે શુભમુ(હુ)તે મહોત્સવ અને ઉલ્લાસપૂર્વક પુષ્કલ ધનનાં સર્વ્યયપૂર્વક કરાવી હતી. આ નયનરમ્ય દેવ વિમાન જેવા સુંદર વિશાલ જિનાલયનું નામ “કામદ” છે. ત્યારબાદ વિ. સં. ૨૦૪૭ શાલે પૂ પાદ સુવિશાલ ગચ્છાધિપતિ સંઘ ધર્મસંરક્ષક શ્રીમદ્ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy