________________
ખંભાતનાં જિનાલયો
૧૬૫
• તેના પુત્ર મલ્લ જેવા શત્રુઓનું મર્દન કરનાર પ્રતાપમલ્લ અને બીજો શત્રુઓને જીતનાર
અર્જુન નામનો પુત્ર હતો. તેનો કામદેવ સમાન રામદેવ નામે અને બીજો પુત્ર સારંગ દેવ નામે હતો. • પિતાની ધુરાને વહન કરનારા તે બંને ભાઈઓ રામકૃષ્ણ જેવા શોભતા હતા. • દરેક નગરમાં તિલકભૂત મહાપુરુષો વડે જયરૂપી લક્ષ્મી વડે પૂજાયેલું એવું સ્તંભતીર્થ
નામનું નગર હતું. • તે નગરમાં સજ્જન પુરુષોમાં આદર્શભૂત સત્ય પ્રતિજ્ઞાવાળો મહાપ્રસિદ્ધમાન મોઢવંશમાં
ઉત્પન્ન થયેલ ખેલા નામનો પ્રખ્યાત શ્રેષ્ઠિ હતો. • અને તે ખેલા શ્રેષ્ઠીને રૂપ અને લક્ષણથી યુક્ત સૌભાગ્યવાળી એવી વાદડાં નામે
ધર્મપત્ની હતી. • સહસ્ત્રકીર્તિ ગુરુ મના ઉપદેશથી વાદડા સતીએ પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય બનાવ્યું તે
જાણે વાદડાદેવીનું સાક્ષાત્ પુણ્ય જ ન હોય તેવું નાગદેવની ફણાના અગ્રભાગે રહેલું રત્ન જ ન હોય તેવું તે શોભતું હતું. • ખેલજી અને વાદડા દેવીને અનન્યગુણ રૂપી લક્ષ્મીવાળો સર્વ લોકને પ્રિય એવો વિકલ
નામે પુત્ર થયો. તેને પોતાના કુલને આબાદીવાળું બનાવ્યું. • બંનેને રત્નદેવી નામે બેન હતી. તે ધનસિંહ(ને) પરણાવેલ. તેણીને રત્ન સમાન પોતાના
વંશનો ઉદ્ધાર કરવામાં વૃષભ સમાન એવા આસ્વડ ભીમા જાલ્યાણ, કાકલ, વયજલ્લ, ખીમડ, ગુણિમ આદિ પુત્રો થયા
તેના કાકાના પુત્ર યશોવીરની સાથે જૈન અને શૈવ બંને ધર્મનું પાલન કરતો હતો. • આસ્વડને પ્રીતિ વડે રામ અને લક્ષ્મણ જેવા બે પુત્રો થયા, આસ્વડને જાલ્હા દેવી
નામની પત્ની હતી. • ખેતલ રાજાને ગુણિ-જનોમાં ગણના કરવા લાયક સિંહના બાળની જેમ નિર્ભય એવો
વિજયસિંહ નામે પ્રખ્યાત થયો હતો. • તે વિજયસિંહનો નાનો ભાઈ લાલ નામે મરી ગયે છતે તેનાં શ્રેયાર્થે આ જિનાલયનો
જીર્ણોદ્ધાર વિજયસિંહે કરાવ્યો હતો. • પોતાના કુળને વધારવામાં સૂર્ય સમાન, દીનનો ઉદ્ધાર કરવામાં કલ્પવૃક્ષ સમાન
વિજયસિંહ જયવંતા વર્તો. | વિમલકીર્તિને અનુપમા દેવી અને શ્રીદેવી નામે બે સ્ત્રીઓ હતી અને તેના મોટા ભાઈને સુકવી નામે પત્ની હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org