________________
૧૬૪
ખંભાતનાં જિનાલયો
• ભમરા વડે જેમ કમલ અલંકૃત કરાય તેમ શ્રી અકબર રાજા વડે સુંદર આદરપૂર્વક
બોલાવાયેલા જેઓ વડે લાભપુરને અલંકૃત કરાયું હતું. વાદીના સમૂહના જય રૂપી સમુદ્રમાંથી જન્મથી જેઓની કીર્તિ શ્રી અકબર બાદશાહની
આભારૂપી સુંદરીના હૈયે મોતી સ્વરૂપ બનેલી હતી. • બાદશાહે પહેલા જે અમારી વગેરેનું ફરમાન) શ્રી વિજયહીરસૂરીશ્વરજી આચાર્ય
ભગવંતને આપેલું તે સઘળું જેમણે સ્વાધીન કર્યું. પરમેશ્વરપણાથી સુશોભિત વિશ્વોત્તમ એવા અરિહંતને સાક્ષાત્ અકબર બાદશાહના ગૃહમાં સંસ્થાપિત કરીને લક્ષ્મીથી પ્રત્યક્ષ શૂર એવા જેમણે વાદોન્માદી એવા અગ્રેસર બ્રાહ્મણ ભટ્ટોને નિશાચર જેવા બંધ આંખોવાળા કરી દીધા હતા. જેણે અંધકારના સમૂહો(નો) નાશ કર્યો છે એવી સાત ફણાઓ જેના મસ્તક ઉપર સાતેય લોકમાં એકીસાથે સારી રીતે પ્રકાશ કરવા માટે દેદીપ્યમાન દીપકો જાણે ન હોય તેમ શોભી રહી છે.
આ પ્રમાણે પારેખ ૫૦ વજીયા, ૫, રાજીયા નામના ભાઈઓએ બનાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિન (વ)ના પ્રાસાદની પ્રશસ્તિ સંપૂર્ણ થઈ.
|| કલ્યાણમસ્તુ | | શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય છે.
// પ્રશસ્તિ ........૬૦........35
નંબર -૨ • વામા દેવીથી ઉત્પન્ન થયેલ અને વિક્નોનો નાશ કરવામાં દેવ સમાન એવા પાર્શ્વનાથ
ભગવાનને નમસ્કાર કરું છું. • લુચ્ચા એવા કમઠ દાનવે પથ્થરોના સમૂહની જેમ વરસાવેલું પાણી જેમની પ્રશમ વજીના
જેવી અગ્નિની જ્વાળાથી ભસ્મસાત થયું હતું તેવા પાર્શ્વનાથ પ્રભુ તમને લક્ષ્મીને આપો. આ સંસારમાં રહેલ બાહ્ય અને આંતર શત્રુઓને જેણે જીતી લીધા છે તેવા અને કામદેવ વડે ખવાયેલા એવા પાર્શ્વનાથ ભગવંતને નમસ્કાર કરું છું. અતિ દિવ્ય એવા ગુર્જર દેશમાં અતિ દેદીપ્યમાન કાન્તિવાળો શ્વેત આપ જેવો ઉજ્જવલ વિશ્વમાં પ્રખ્યાત એવા ચૌલુક્ય નામનો વંશ છે. • તે વંશમાં ક્ષાત્રવટને ધારણ કરનાર વિજયી રાજ્યલક્ષ્મીથીયુક્ત શંભુપ્રસાદનો પુત્ર
શ્રીમાન લુણિંગદેવ હતો. તેનાથી અસાધારણ વીર રસવાળો પ્રજાનો પાલક એવો વિરધવલ નામનો પુત્ર હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org