________________
૧૬૦
ખંભાતનાં જિનાલયો
ગુલાબી રંગના પ્લાસ્ટર ઑફ પેરીસના બનાવેલા ટોડલાઓ છે. અહીં થાંભલાઓને ગ્રેનાઇટ જડેલો છે. થાંભલા પર કાષ્ઠની પૂતળીઓનાં શિલ્પો જિનાલયની સુંદરતામાં વધારો કરે છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૨) ગભારામાં તથા રંગમંડપમાં એક્રેલીક શીટ લગાડેલી છે. તે ગ્લાસ પેઇન્ટિગ જેવો શો આપે છે. લાઇટનો પ્રકાશ પડવાથી તે વધુ ઈફેક્ટ આપે છે. અહીં દીવાલો પરના આરસના પથ્થરોનું કલાત્મક સંયોજન કરેલું છે. એ જ રીતે બહારના આરસના બે ગોખમાં પણ આરસનું કલાત્મક સંયોજન કરેલું છે તે તેની શોભા વધારે છે.
ગભારામાં મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમાના ડાબા ગભારે આદેશ્વરજી તથા જમણા ગભારે પાર્શ્વનાથજી બિરાજે છે. પાર્શ્વનાથજીની પ્રતિમા પરના લેખમાં “સં. ૧૭૦૬.... જયેષ્ઠ વદિ ૩...... મુજબનું લખાણ છે. ગભારામાં પાષાણની પંદર પ્રતિમાજીઓ બિરાજમાન છે. ગભારો પ્રમાણમાં ઘણો વિશાળ છે. ગભારાની વિશેષતા એ છે કે ગર્ભદ્વાર કાચના છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૦ તથા નં. ૨૧)
મૂળનાયકની બરોબર સામે એટલે કે પ્રવેશદ્વારની જમણી બાજુ એક દ્વાર પડે છે, જ્યાંથી ભોંયરામાં બિરાજમાન થંભન પાર્શ્વનાથના જિનાલયમાં જઈ શકાય તેવા આરસના પગથિયાં બંને બાજુ છે. પગથિયાં પાસે ઉપર મોટો બંધ ચોક છે. એની દીવાલ પર ગુલાબી રંગના સુંદર ટોડલાઓ છે. ચોકમાં મધ્યે દીવાલ પર એક જીર્ણ પરિકર જડી દેવામાં આવેલ છે.
પગથિયાં દ્વારા નીચે ઊતરતાં દીવાલની મધ્યે અરીસો છે અને તેની નીચે પણ એક જીર્ણ પરિકર જડી દેવામાં આવ્યું છે. ભોંયરામાં પ્રવેશતાં સામે જ શ્રી યંભન પાર્શ્વનાથની મનોહારી અલૌકિક પ્રતિમાના દર્શન થાય છે.
ભોંયરામાં રંગમંડપનો જીર્ણોદ્ધાર થયેલો હોવાથી રંગમંડપ સુંદર, સ્વચ્છ અને ભવ્ય લાગે છે. અહીં રંગમંડપની છત પર ટોડલા આકારના નાના નાના ટુકડાઓ પર ગુલાબી રંગ કરી આકર્ષક બનાવવામાં આવ્યા છે. અહીં સુંદર કારીગરીયુક્ત ગ્લાસ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. અહીં તીર્થો અને પાર્શ્વનાથ પ્રભુના જીવનપ્રસંગોને ગ્લાસ-પેઇન્ટિંગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. જે અતિ મનોહારી છે. જમણી તરફ શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને તેમના જીવનપ્રસંગો અનુક્રમે પૂર્વભવમાં લાકડામાં રહેલ સર્પને બળતો બચાવે છે તે, કમઠ દ્વારા થતી મેઘવર્ષા તથા પદ્માવતીધરણેન્દ્રનો પ્રસંગ, ઇંદ્ર દ્વારા પ્રભુનું સ્નાત્ર પૂજન, માતા મરુદેવીનાં ૧૪ સ્વપ્નોનું દર્શન તથા ડાબી તરફ સમવસરણ, કેવળજ્ઞાન અને સમેતશિખર પરની પાર્શ્વનાથ ટૂંક, હાથી દ્વારા થતી પુષ્પવર્ષા, પ્રભુના ચરણ પાસે સર્પ જેવા જીવનપ્રસંગોનું આલેખન લાઈટની ઈફેક્ટથી અદ્ભુત લાગે છે.
અહીં ડાબી બાજુ છેલ્લે પગથિયાંની રચના છે જે ચડતાં જમણીબાજુ ગોખમાં પાર્શ્વયક્ષની આરસની મૂર્તિના દર્શન થાય છે. ગ્લાસપેઇન્ટિંગ છે તે સ્થળની રચના જોતાં એ બધી પૂર્વે દેવકુલિકાઓ હોવાનું અનુમાન થઈ શકે છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૩) આ દેવકુલિકા જેવી રચનાની ઉપરની દીવાલ પ્લાસ્ટર ઑફ પેરિસથી સુશોભિત છે. રંગમંડપની ફરશ ગુલાબી, લીલા, કાળા તથા સદ– એમ વિવિધ રંગના આરસનાં સંયોજન દ્વારા શોભિત બની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org