________________
૧૫૮
ખંભાતનાં જિનાલયો
પાર્થનાથના જિનાલયમાં પાષાણની પંદર પ્રતિમાજીઓ બિરાજમાન હતી. ઉપરાંત પૃ. ૫૧ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ આવે છે.
ખાંચામાંથી બહાર આવી થોડુંક ચાલતા દેતારવાડો પૂરો થઈ બજારનો સરિયામ રસ્તો આવે છે, તે પર થઈ ત્રણ દરવાજા તરફ થોડું ચાલતાં જમણા હાથ પર સાગોટાપાડાની પીઠ પર આવેલા અને જેનો પોતીકો જુદો જ કંપાઉંડ છે. એવા, પ્રાચીનતાના પુરાવા રૂપ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેવાલયનો દરવાજો આવે છે, તેમાં પ્રવેશતાં સામે શેઠ અંબાલાલ પાનાચંદની ધર્મશાળાનો દરવાજો નજરે પડે છે. ડાબા હાથ ઉપર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું કાળ જૂનું, ભોંયરાવાળું જિનાલય છે, પગથિયાં ચઢી પ્રભુની રમ્ય મૂર્તિના દર્શન કરવા. દક્ષિણદિશાની દીવાલ પર એક લેખ છે. પશ્ચિમ દિશા તરફથી કરેલ નવા માર્ગે થઈ નીચે ભોંયરામાં જઈ, ત્યાં શ્રી સ્થંભણ પાર્શ્વનાથની વિશાળ મૂર્તિના દર્શન કરતાં આત્મા વિલક્ષણ આનંદ અનુભવે છે. પ્રકાશ ઠીક આવતો હોવાથી ભોંયરાની સુંદર રચના જોઈ શકાય છે અને એ પૂર્વકાળના કારીગરોની બુદ્ધિમત્તા માટે સહજ શાબાશીના ઉદ્ગાર નીકળી પડે છે. આજે તો ઉત્તર દક્ષિણની દીવાલોમાંના બાકાં પૂરી નાંખવામાં આવ્યા છે પણ કહેવાય છે કે તેમાંની એક બારી દ્વારા પૂર્વે ત્રણ દરવાજામાં આવેલી જુમ્મા મસ્જિદ તરીકે ઓળખાતી વિસ્તૃત જગા(પૂર્વે એક જૈન મંદિર હતું તે)માં જવાતું. ખૂબી એ છે કે મોટી કમાન વાળેલી હોવા છતાં વચમાં એક પણ થાંભલો મૂક્યો નથી. જિનાલયની દેખરેખ જૈનશાળા કમિટી હસ્તક છે. ઇતિહાસમાં એની નોંધ નીચે મુજબ છે. શાહ રાજીઆ-વજીયાએ બનાવેલ ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર તે આ જ. રંગમંડપની ભીંતના લેખ પરથી એ વાત પુરવાર થાય છે. વિસં. ૧૬૪૪ની સાલમાં શાહ રાજીયા વજીઆએ આ મંદિર કરાવ્યું. ચિંતામણિ પાર્શ્વનાથ તથા મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિ હસ્તે કરાવી. આ બંધુઓ મૂળ ગાંધારના રહેવાસી હતા. પ્રતિષ્ઠા વેળા ખંભાતમાં રહેતા હતાં. ગોવામાં ધીખતો ધંધો હતો. રાજયમાં માન સારું હતું.”
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ બજારમાં ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની એકવીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. ઉપરાંત ભોંયરામાં બે શિલાલેખનો ઉલ્લેખ થયેલો છે અને વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. જિનાલયની સામે બે ગુરુમંદિર પણ તે સમયે વિદ્યમાન હતાં. આજે આ જિનાલયનો વહીવટ શ્રી તપગચ્છ અમર જૈનશાળા સંઘ હસ્તક છે.
ભોયરામાં મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમાના પબાસન પર નીચે મુજબનો લેખ છે :
I ભલે મીડું // સંવત ઇલાહી ૪૬ વર્ષે ૧૬૫૮ વર્ષે માઘ સિત ૫ સોમૈ શ્રી સ્તંભતીર્થ વાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતીય ૫૦ વજિઆ રાજિઆભ્યાં સ્વશ્રેયસે શ્રી સ્થંભન પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત | શ્રી તપાગચ્છ મહાનૃપ પ્રતિબોધક સુવિહિત ભણિ શ્રી હીરવિજયસૂરિ તત્પટ્ટોદ્યોતકારક ભટ્ટારક શ્રીપ શ્રી વિજયસેનસૂરિ આચાર્ય શ્રીપ શ્રી વિજયદેવસૂરિ ઉ0 શ્રી વિમલહર્ષ ગણિ ઉશ્રી કલ્યાણવિજય ગઇ ઉશ્રી સોમવિજય ગ. પ્રમુખ પરિવાર પરિકરિતૈઃ ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org