________________
ખંભાતનાં જિનાલયો
૧૫૭
વિજયસેન સૂરિ .. મુજબનું લખાણ વંચાય છે.
શ્રી હીરવિજયસૂરિ રાસમાં (સં.૧૬૮૫)માં ચિંતામણિ પાર્શ્વનાથ અને સ્થંભન પાર્શ્વનાથના એક મંદિરનો ઉલ્લેખ થયેલો છે. આજે આ જિનાલયમાં મંદિરના વર્ણન માટે ૬૨ શ્લોકનો જે શિલાલેખ છે તેમાં સ્થંભન પાર્શ્વનાથનો ઉલ્લેખ થતો નથી. તેમાં ચિંતામણિ પાર્શ્વનાથ, મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા રાજિઆ-વજિઆ બે ભાઈએ સં. ૧૬૪૪માં કરાવી તે મુજબનો ઉલ્લેખ આવે છે. આજે ભોંયરામાં મૂળનાયક સ્થંભનપાર્શ્વનાથના જમણે ગભારે મહાવીરસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. તેના મૂર્તિલેખમાં સં. ૧૬૪૪નો ઉલ્લેખ છે. એટલે કે રાજિઆ - વરિઆએ સં. ૧૬૪૪માં મહાવીર સ્વામીની જે પ્રતિષ્ઠા વિજયસેનસૂરિના હસ્તે કરાવી તે આજે ભોંયરામાં સ્થંભન પાર્શ્વનાથના જમણે ગભારે બિરાજમાન છે.
સં. ૧૯૦૦માં સાગોટાપાડામાં વિદ્યમાન ચાર જિનાલયો પૈકી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૫૦માં અને ભોંયરામાં થંભન પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૫૧માં દર્શાવવામાં આવ્યો છે.
અથ સાગોટાપાડામાં દેહરાં ૪ની વિગત ૫૦. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ. ૫૧. શ્રી ભુંયરામાં યંભણ પાર્શ્વનાથ.
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચિંતામણિ પાર્શ્વનાથના આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૨૬માં થયેલો છે જે નીચે મુજબ છે :
દંતારવાડામાં.
૨૬. ચીંતામણ પારસનાથજીનું (ભંઇરામા સ્થંભણ પારસનાથજીની પ્રતિમા છે પણ મૂળ આ નામવાળી પ્રતિમા ખારવાડામાં થંભણ પાર્શ્વનાથના દેહરામાં છે તે જ સમજવાની છે.)
૨૭. ગોડી પારસનાથજીનું. ૨૮. રીખવદેવ સ્વામીનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ બજાર વચ્ચે અને ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે આ જિનાલયમાં પાષાણની પંચાવન પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં સાગોટાપાડામાં ચિંતામણિ પાર્શ્વનાથજી તથા ભોંયરામાં સ્થભંન પાર્શ્વનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં પાષાણની તેર પ્રતિમાજીઓ અને ભોંયરામાં સ્થંભના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org