________________
ખંભાતનાં જિનાલયો
૧પપ
જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ હતો.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં સાગોટાપાડામાં ૧. ચિંતામણિ પાર્શ્વનાથ-ભોંયરામાં થંભણપાર્શ્વનાથ, ૨. આદેશ્વર એમ કુલ બે જિનાલયો વિદ્યમાન હતાં. ઉપરાંત તે સમયે અહીં આદેશ્વરજીના જિનાલયની નજીકમાં શ્રી નીતિવિજયજી મ. સા.નું ગુરુમંદિર આવેલું હોવાનો ઉલ્લેખ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ વિસ્તારનો ફરી એક વાર બજારમાં નામ સાથે ઉલ્લેખ થયેલો છે અને તે સમયે પણ ઉપર્યુક્ત બે જિનાલયોનો ઉલ્લેખ થયો છે પરંતુ ચિંતામણિ પાર્શ્વનાથના ભોંયરામાં ક્યા ભગવાન મૂળનાયક તરીકે બિરાજે છે તેવો ઉલ્લેખ થયેલો નથી. ઉપરાંત તે સમયે અહીં બે ગુરુમંદિર હોવાનો ઉલ્લેખ પણ થયેલો છે.
આજે ચિતારી બજાર-સાગોટાપાડામાં એક જ કંપાઉંડમાં કુલ ત્રણ જિનાલયો આવેલાં છે: ૧. ચિંતામણિ પાર્શ્વનાથ ભોંયરામાં થંભન પાર્શ્વનાથ ૨. આદેશ્વર ૩. ચૌમુખજી. ઉપરાંત અહીં કંપાઉંડમાં જ જુદા જુદા સમય દરમ્યાન ગુરુમંદિરો પણ બંધાવવામાં આવેલાં છે. હાલ અહીં કુલ પાંચ ગુરુમંદિરો આવેલાં છે : ૧. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજનું ગુરુમંદિર, ૨. પૂ. નીતિ વિજયજી મહારાજનું ગુરુમંદિર, ૩. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજીનું ગુરુમંદિર, ૪. પૂ આ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજીનું ગુરુમંદિર, પ. પૂ. આ શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજીનું ગુરુમંદિર.
ચિતારી બજાર - સાગોટાપાડો ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૬૪૪)
સ્થંભન પાર્શ્વનાથ (સં. ૧૯૫૮) આ શ્રી હીરવિજયસૂરિના પરમભક્ત, ખંભાતના જૈન શ્રેષ્ઠીઓ રાજિઆ તથા વજિઓએ બંધાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું શિખરબંધી, ભોંયરાયુક્ત જિનાલય ચિતારી બજાર-સાગોટાપાડામાં આવેલું છે. આ જિનાલયમાં ભોયરામાં મૂળનાયક શ્રી સ્થંભન પાર્શ્વનાથ બિરાજમાન છે.
સં. ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં સાગોટાની પોલમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
સાગટાની પોલમાં, બઈ પોઢા પ્રાસાદ | ચીત્ર લખ્યત તીહાં પૂતલી, વજઈ ઘંટનાદ /૨ શ્રી યંતામણિ ભોંયહરઈ, એક સુપ્રત્યમાં સાર | જિનજિ દ્વારઈ પૂજા જયમાં, ધન તેહનો અવતાર / ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org