________________
૧૫૪
ખંભાતનાં જિનાલયો
સાગટાની પોલિમાં, બઈ પોઢા પ્રાસાદ / ચીત્ર લગત તીહાં પૂતલી, વાજઈ ઘંટાનાદ // ૨ શ્રી અંતામણિ ભોંયહરઈ, એકસ પ્રત્યમાં સાર | જિન જિ દ્વારઈ પૂજી જયમઈ, ધન તેહનો અવતાર / ૩ સાહા સૌઢાઈ દેહરઈ, શ્રી નાઈંગપુર સ્વામિ |
પ્રેમ કરીનઈ પૂજીઇ, પનર બંબ તલ ઠાણિ // ૪ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં સાગુટઈ પાડામાં માત્ર એક જિનાલય-ભોંયરાવાળું હોવાનો ઉલ્લેખ છે. જે નીચે મુજબની પંક્તિઓમાં થાય છે.
..................ચિંતામણિ સાગુટંઈજી ભુઈરા સહીત સાતસઈ એકોત્સરિ ન નમું હું મન પોટઈજી ૧૪ .
સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં સાગોટાપાડામાં કુલ ચાર જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ નીચે પ્રમાણે થયેલો છે :
અથ સાગોટાપાડામાં દેહરા ૪ ની વિગત ૫૦. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ. ૫૧. શ્રી ભંયરામાં થંભણ પાર્શ્વનાથ. પર. શ્રી અમીઝરા પાર્શ્વનાથ. ૫૩. શ્રી આદીસર ભગવાનનું દેહરું દક્ષિણસનુષ.
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચિતારીબજાર (સાગોટા પાડા)નો વિસ્તાર દંતારવાડામાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. આમ દંતારવાડા વિસ્તારમાં તે સમયે કુલ સાત જિનાલયો દર્શાવ્યાં છે. જે પૈકી ચિંતામણિ પાર્શ્વનાથ, ગોડી પાર્શ્વનાથ તથા રીખવદેવ સ્વામી એમ કુલ ત્રણ જિનાલયોનો ઉલ્લેખ અનુક્રમે ક્રમાંક ૨૬, ૨૭, ૨૮માં થયેલો છે.
સં. ૧૮૬૨માં સાગોટાપાડા વિસ્તારમાં અમીઝરા પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન હતું. જૈન ગૂર્જર કવિઓ (ભાગ ૪, પૃ. ૧૫૯)માં નીચે મુજબ નોંધ પ્રાપ્ત થાય છે :
“સં. ૧૮૬ર મહા સુદિ ૨ ભોમે લ પં, ગોવિંદ વિજયગણિ શિ. પ્રેમવિજયગણિ શિ. પ્રમોદવિજયગણિ લિ. ચિંતામણિ પ્રસાદાત્ શ્રી સ્તંભતીર્થ પ્રાસાદાત્ શ્રી અમીઝરા પાર્શ્વનાથ જીન સાગોટા પાડા મધે”
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ વિસ્તાર બજાર વચ્ચે નામથી પ્રસિદ્ધ હતો અને ત્યાં ૧. ચિંતામણિપાર્શ્વનાથ, ૨. આદેશ્વર એમ કુલ બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ હતો. ઉપરાંત તે સમયે શા ગોટા પાડા નામના વિસ્તારમાં શ્રી ગોડી પાર્શ્વનાથજીનું જીર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org