SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ખંભાતનાં જિનાલયો ૨૫. શાંતિનાથજીનું. એટલે કે અગાઉ જણાવ્યું તેમ આજની પુણ્યશાળીની ખડકી તથા ઊંડી પોળમાં વિદ્યમાન શાંતિનાથનાં જિનાલયોનો ઉલ્લેખ તે સમયે દંતારવાડા વિસ્તારમાં જ કરવામાં આવ્યો છે. તે સમયે દંતારવાડામાં કુંથુનાથ અને શાંતિનાથનાં જિનાલયો અલગ અલગ દર્શાવવામાં આવ્યાં છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં દંતારવાડામાં કુંથુનાથજીનું જિનાલય તથા શાંતિનાથજીનું જિનાલય ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યાં છે. કુંથુનાથજીના જિનાલયમાં પાષાણની અગિયાર પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે અને તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ જીર્ણ હતી. શાંતિનાથજીના જિનાલયમાં પાષાણની બે પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવેલી છે. ઉપરાંત શાંતિનાથજીના જિનાલયની સ્થાપના સં. ૧૯૩૨માં થયાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. સંભવ છે કે સં૧૯૩૨માં શાંતિનાથજીના જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોય. સં૧૯૦૦માં કુંથુનાથજીનું જિનાલય દક્ષિણાભિમુખ દર્શાવવામાં આવેલું છે. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં દંતારવાડામાં કુંથુનાથશાંતિનાથનું સંયુક્ત જિનાલય દર્શાવ્યું છે. કુંથુનાથના જિનાલયમાં તે સમયે પાષાણની પાંચ પ્રતિમાજીઓ અને શાંતિનાથના જિનાલયમાં પાષાણની છ પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો હતો. ઉપરાંત પૃ. ૫૩ ઉપર આ જિનાલયો વિશે નીચે મુજબની નોંધ પ્રાપ્ત થાય છે : “......કુંથુનાથજી અને શાંતિનાથના જોડાયેલાં દેહરાં આવે છે. આગળ બાંધી લીધેલો કમ્પાઉન્ડ છે. જીર્ણોદ્ધાર કરતી વેળા મૂળ બાંધણીમાં ફેરફાર કરી જમીન તારવી લઈ નવેસરથી દેવાલયો તૈયાર કરેલાં હોવાથી દેહરાં મનોહર લાગે છે. આખી ખડકી જૈનોથી વસાયેલી હોઈ તેમજ જિનાલયની વ્યવસ્થા માટે કાયદા-કાનૂન હોવાથી ઉજળામણ સારી છે. કેસર ને વસ્ત્ર બદલવા સારું એક ઓરડી છે. વહીવટ નાથાભાઈ અમરચંદ હસ્તક છે જેઓ નજીકમાં જ રહે છે.” સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં દંતારવાડામાં શાંતિનાથ અને કુંથુનાથના જિનાલય અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે. શાંતિનાથના જિનાલયમાં પાષાણની છ પ્રતિમાજીઓ અને કુંથુનાથના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે બંને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. બંને જિનાલયનો વહીવટ શેઠ ઉજમશી કેવળદાસ હસ્તક હતો. આજે આ બંને જિનાલયનો વહીવટ રસિકભાઈ દલપતભાઈ શાહ, અરવિંદકુમાર કેશવલાલ શાહ તથા ચંદ્રકાન્તભાઈ રતિલાલ શાહ હસ્તક છે. તેઓ સૌ હાલ દંતારવાડામાં જ રહે છે. જિનાલયમાં પ્રવેશવા માટેનાં બે દ્વાર છે. રંગમંડપમાં પ્રવેશવાનાં પણ બે દ્વાર છે એટલે કે મુખ્ય એક પ્રવેશદ્વાર અને રંગમંડપનું એક પ્રવેશદ્વાર કુંથુનાથના ગભારા સામે અને બીજું પ્રવેશદ્વાર શાંતિનાથના ગભારા સામે છે. મુખ્ય પ્રવેશદ્વારની કુંથુનાથના પ્રવેશદ્વારની) કમાનો પર સરસ્વતીદેવી તથા શાંતિનાથજીના મુખ્ય પ્રવેશદ્વારની કમાનો પર લક્ષ્મીદેવીનું શિલ્પ કંડારેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy