________________
ખંભાતનાં જિનાલયો
૧૫૧
દંતારવાડો
શાંતિનાથ-કુંથુનાથ (સં. ૧૬૭૩ પહેલાં) દંતારવાડામાં કુંથુનાથ તથા શાંતિનાથનું સાદા પથ્થર તથા આરસનું બનેલું ઘુમ્મટબંધી સંયુક્ત જિનાલય આવેલું છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૭)
સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ગ્રંબાવતી તીર્થમાલામાં આ બંને જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
દંતારાની પોલિમાં, કુથજયન તાસ | બાર બંબ તસ ભુવનમાં, હું તસ પગલે દાસ . ૫ શાંતિનાથ યનવર તણું, બીજું દેહેરું ત્યાંથી
દસ પ્રતિમાશું પ્રણમતાં, હરષ હુઓ મનમાંહિ // ૬ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાતિ તીર્થમાલામાં દંતારવાડામાં કુંથુનાથ તથા શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
દંતારવાડઈ સોમસમ પ્રભુ છ મૂરતિ વષાણું) ૧૩ કુંથુનાથ ચહેરાસી જિનવર ચિંતામણિ સાગુટઈજી
........................૧૪ સં. ૧૯૦૦માં દંતારવાડામાં થયેલા ત્રણ જિનાલયોના ઉલ્લેખ પૈકી કુંથુનાથશાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૪૭ તથા ૪૮માં નીચે મુજબ થયેલો છે :
અથ દંતારવાડામાં દેહરાં ૩ ૪૭. શ્રી કુંથુનાથ કીકાભાઈનું દેહરું દક્ષિણ સન્મુખ. ૪૮. શ્રી શાંતિનાથ. ૪૯. શ્રી શાંતિનાથ ઊંડી પોળમાં.
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં દર્શાવવામાં આવેલા ખંભાતના જિનાલયો પૈકી દંતારવાડાના આ જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે ?
દંતારવાડામાં. ૨૨. શાંતિનાથજીનું ૨૩. શાંતિનાથજીનું. ૨૪. કુંથુનાથજીનું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org