SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો “...દંતારવાડા તરફ આગળ વધતાં જમણા હાથે ઊંચા ટેકરા ૫૨ વીશા શ્રીમાલીની વાડીનો મોટો કંપાઉંડ છે. પાછળ જ્ઞાતિની વાડી તરીકે ઓળખાતું વિશાળ મકાન છે. પૂર્વે અત્રે સાગરગચ્છનો ઉપાશ્રય હતો. સાગરના ઉપાશ્રય સામે ડાબા હાથ પર ખડકી છે તે પુણ્યશાળીની ખડકી તરીકે સુપ્રસિદ્ધ છે. શાંતિનાથનું દેરું નાનું છતાં જુદી જ બાંધણીનું છે. દેખરેખ પુણ્યશાળીવાળા લાલચંદ જેઠાભાઈ રાખે છે, જે હાલ અમદાવાદ રહે છે. અગાઉ તેઓ સારા પ્રમાણમાં સંપત્તિશાળી હતા.' ૧૪૮ સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં શાંતિનાથજીનું આ જિનાલય પુણ્યશાળીની ખડકીમાં ઘુમ્મટબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પણ આ જિનાલયમાં પાષાણની ચાર અને ધાતુની બાવીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયનો વહીવટ શેઠ હરીલાલ લાલચંદ હસ્તક હતો તે સમયે જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. હાલ આ જિનાલયનો વહીવટ શ્રી જિતેન્દ્રભાઈ જીવાભાઈ શાહ તથા ચુનીલાલ મોહનલાલ વોરા હસ્તક છે, જે પૈકી જિતેન્દ્રભાઈ ખારવાડામાં તથા ચુનીભાઈ પુણ્યશાળીની ખડકીમાં રહે છે. જિનાલયમાં મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ અને મૂળનાયકની ડાબી બાજુની દીવાલ પર આ જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા અંગેની વિગતો દર્શાવતો આરસનો લેખ છે. આ લેખમાં જણાવ્યા મુજબ સં. ૨૦૦૧માં માગશર સુદ સાતમને બુધવારે આ શ્રી વિજયનેમિસૂરિના હાથે પુનઃ પ્રતિષ્ઠા કરાવવામાં આવી. પુણ્યશાળી કુટુંબના વીશા પોરવાડ જ્ઞાતીય તપાગચ્છીય શેઠ હરીલાલ વીરચંદ તથા તેમના ભત્રીજા જેશંગભાઈ ભગુભાઈ તથા હરીભાઈના ભાઈ સ્વર્ગસ્થ મનસુખભાઈ લાલચંદના ધર્મપત્ની ગંગાબાઈના પ્રયત્નોથી આ જીર્ણોદ્ધાર થયો છે. જિનાલયના આ લેખમાં ખંભાતનાં અન્ય જૈન જિનાલયો અંગેની પણ માહિતી મળે છે. તેથી આ લેખ આ ગ્રંથમાં પ્રકરણ-૧૩માં આપવામાં આવ્યો છે. આ જિનાલયની બાંધણી નોખા પ્રકારની છે. કોઈ પણ જિનાલયમાં પ્રવેશવા માટે ૨૩ કે તેથી વધુ પગથિયાંની રચના કરેલી હોય છે, જ્યારે આ જિનાલયમાં કોઈ પગથિયાં નથી. સીધો ઊંબરો ઓળંગી રંગમંડપમાં પ્રવેશી શકાય છે. રંગમંડપના ઘુમ્મટમાં ચિત્રકામ કરેલ છે. છ ચોકી ધરાવતા આ જિનાલયના થાંભલાઓ પર નર્તન કરતી તથા જુદાં જુદાં વાજિંત્રો વગાડતી પૂતળીઓનાં શિલ્પ સુંદર છે. થાંભલાઓ ઉપર પણ સુંદર રંગકામ થયેલ છે. જિનાલયની બાંધણી સામાન્ય છે તેમ છતાં ચિત્રકામ મનને મોહી લે છે. ગભારામાં દીવાલ પર પણ સુંદર ચિત્રકામ છે. ગભારામાં આરસની કુલ ચાર પ્રતિમાજીઓ છે, જે પૈકી એક કાઉસ્સગ્ગીયા છે. ધાતુની કુલ બાવીસ પ્રતિમાજીઓ છે. આ જિનાલય વિશે નોંધપાત્ર લાક્ષણિકતા ધ્યાનમાં આવે છે કે સં ૧૯૬૩માં આ જિનાલયમાં પાષાણની ચાર અને ધાતુની બાવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી, સંખ્યા સં. ૧૯૮૪માં-સં૰ ૨૦૧૦માં તથા આજે (સં. ૨૦૫૫માં) યથાવત્ જ રહી છે. એટલે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy