________________
ખંભાતનાં જિનાલયો
૧૪૭
કડીઆપોળ બકરાવાળાની ખડકીમાં વાસુપૂજ્ય સ્વામીના ઘરદેરાસરનો ઉલ્લેખ સં ૧૯૬૩માં તથા સં. ૨૦૧૦માં મળે છે. સ્થાનિક માહિતી પ્રમાણે એ ઘરદેરાસર શાંતિનાથના આ જિનાલયમાં પધરાવવામાં આવેલું છે. જો કે આ અંગે વિશેષ ચકાસણી કરવાની બાકી છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૦૦ પહેલાના સમયનું છે. મૂળનાયકની પ્રતિમા પરના લેખમાં સં. ૧૬૫૬નો ઉલ્લેખ આવે છે તે સંદર્ભમાં જિનાલયની વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વિશેષ સંશોધનની જરૂર છે અને વધુ પુરાવાઓની જરૂર છે.
0
પુણ્યશાળીની ખડકી
શાંતિનાથ (સં. ૧૯૪૭ પહેલા) દંતારવાડામાં આવેલી પુણ્યશાળીની ખડકીમાં શ્રી શાંતિનાથજીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં સૌ પ્રથમવાર શાંતિનાથના આ જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે સમયે આ જિનાલય દંતારવાડા વિસ્તારમાં દર્શાવવામાં આવ્યું હતું. દંતારવાડામાં તે સમયે શાંતિનાથનાં કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતા.
દંતારવાડામાં ૨૨. શાંતિનાથજીનું. ૨૩. શાંતિનાથજીનું ૨૪. કુંથુનાથજીનું. ૨૫. શાંતિનાથજીનું.
ત્યારબાદ આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મળે છે. તે સમયે આ જિનાલય દંતારવાડા વિસ્તારમાં ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું હતું. જિનાલય બંધાવનારના નામ સાથે શા. જોઈતાદાસ વીરચંદનો ઉલ્લેખ થયો હતો. તે સમયે જિનાલયમાં પાષાણની ચાર તથા ધાતુની બાવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ દર્શાવવામાં આવેલી હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં આ જિનાલય પુણ્યશાળીની ખડકીમાં દર્શાવવામાં આવેલું છે. તે સમયે પણ આ જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાજીઓ અને ધાતુની બાવીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. પૃ. ૫૧ ઉપર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ થયેલ છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org