________________
ખંભાતનાં જિનાલયો
૧૪૫
નાના પરંતુ કલાત્મક બાજોઠ પર નાનાં નાનાં ચાર જોડ પગલાં છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૬૪ના સમયનું છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૮)
ઊંડીપોળ શાંતિનાથ (સં. ૧૯૦૦ પહેલાં)
ઊંડીપોળમાં શાંતિનાથ ભગવાનનું ધાબાબંધી જિનાલય આવેલું છે.
મૂળનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમાજી પર સં. ૧૬૫૬નો લેખ છે જે નીચે મુજબ વાંચી શકાય છે :
“સ્વસ્તિ શ્રી પ્રભા...વિજય સેનસૂરભિઃ સંવત ૧૬૫૬. શ્રી અલાઈ ૪૫ વર્ષે વા. ભાઈ ભાર્યા સીથમાદે નાસ્ના શ્રી બિરુદ્ધારક શ્રી વિજયકર...... જ્ઞાતિય વૃદ્ધ પટ્ટધ્ધ..... શાખાયા વ્યાસો સધિર સુત....તપાગચ્છે બાદશાહી શ્રી અકબર પ્રદત્ત જગદ્ગર...પ્રતિષ્ઠિત કારિત ભટ્ટારક વિજયસેનસૂરિભિઃ ”
ઊંડીપોળમાં આવેલા શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ સં૧૯૦૦માં તારવાડાના ત્રણ જિનાલય પૈકી ક્રમાંક ૪૯માં નીચે મુજબ થયેલો છે :
અથ દંતારવાડામાં દેહરાં ૩. ૪૭. શ્રી કુંથુનાથ કીકાભાઈનું દેહરુ દક્ષિણ સન્મુખ. ૪૮. શ્રી શાંતિનાથજી. ૪૯. શ્રી શાંતિનાથ ઊંડી પોલમાં.
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં શાંતિનાથનાં આ જિનાલયનો ઉલ્લેખ દંતારવાડા વિસ્તારમાં થયેલો છે. તે સમયે દંતારવાડામાં શાંતિનાથજીનાં કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતા.
દંતારવાડામાં ૨૨. શાંતિનાથજીનું. ૨૩. શાંતિનાથજીનું. ૨૪. કુંથુનાથજીનું. ૨૫. શાંતિનાથજીનું.
ખંભા. ૧૦ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org