SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ખંભાતનાં જિનાલયો સં. ૧૬૩૭ના સમયની ગણના કરી છે. પરંતુ તે માટે વધુ સંશોધન અને પુરાવાઓની જરૂર છે આમ છતાં. સં૧૯૭૩ પહેલાનો સમય નિશ્ચિતપણે નક્કી કરી શકાય તેમ છે. ગીમટી મહાવીર સ્વામી (સં. ૧૬૬૪) ખંભાતમાં ગીમટી નામે પ્રસિદ્ધ વિસ્તારમાં શ્રી મહાવીર સ્વામીનું પ્રાચીન શિખરબંધી જિનાલય આવેલું છે. ગીમટી વિસ્તાર અગાઉ ઘીવટી-ગિવટી- ગીપટી નામથી ઓળખાતો હતો. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ઘીવટી વિસ્તારમાં બે જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. મહાવીર સ્વામીનું જિનાલય તથા ચંદ્રપ્રભુનું જિનાલય – એમ બે જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : આવ્યો ઘીવટી પોલિ મઝારિ, વીર તણો પ્રાસાદ જોહારિ, સાત બંબ ચિત્ત ધારિ હો // ૧૦ શ્રી ચંદ્રપ્રભ યનનઈ જોહારું, પાંચ બંબ મન માંહિ ધારુ, પાતિગ આઠમું વારું હો / ૧૧ સં. ૧૬૨૧માં સંવરી જીવરાજ શાહના ઉપદેશથી થાવર દોશીએ ખંભાતના ઘીવાડામાં જિનાલય બંધાવ્યું હતું તેવો ઉલ્લેખ જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૩ના પૃ૦ ૬૨૬ પર પ્રાપ્ત થાય છે. મૂળનાયક મહાવીરસ્વામીની પ્રતિમા પર સં૧૬૬૪નો મૂર્તિલેખ છે, જે નીચે મુજબ છે : “સં. ૧૬૬૪ વર્ષે માહા સુદિ ૧૦ શનૌ શ્રી યંભતીર્થ વાસ્તવ્ય શ્રી મહાવીર બિંબ કારાપિત ઘીવટી મધ્ય બાઈ નાકુ દેવગૃહસ્થા શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર શ્રી વિજયસેનસૂરિભિઃ Iછોશુભ ભવતુ !” સં. ૧૭૦૧માં મહિસાગર કૃત ખંભાતિ તીર્થમાલામાં ઘીવટી માં એક જિનાલય શ્રી મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : ધારાવાડઈ વિમલ ઓગણીસ એ ઘીવટીઈ વીર બાસી દીસ એ ૧૫ સં. ૧૯૦૦માં ગીવટીમાં આવેલા મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૫માં નીચે મુજબ થયેલો છે. તે સમયે પણ આ વિસ્તારમાં એક જ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. અથ ગિવટીમાં દેહરું ૧૬૫. શ્રી મહાવીરસ્વામીનું દેરું – દક્ષિણ સન્મુખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy