________________
૧૪૦
ખંભાતનાં જિનાલયો
ભુંઅરઈ પાડઈ શાંતિ મૂરતિ બાવન જિન શુ ગાજએ છસઈ બત્રીસ શાંતિનાથ સાતસઈ એકવીસ સાંમલી
••• • •
સં. ૧૯૦૦માં ભોંયરાપાડામાં દર્શાવેલાં છ જિનાલયો પૈકી આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૯માં શ્રી સોમલ પાર્શ્વનાથ અસલનામ ભાવડ પાર્શ્વનાથ છે. એ મુજબ થયેલો છે.
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ભોંયરાપાડામાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૪માં નીચે મુજબ થયેલો છે :
ભોંયરાપાડો ૬૪. નવખંડા પારસનાથ અથવા ભુવન પારસનાથજીનું. ૬૫. ચંદ્રપ્રભુજીનું.
•••••••••••••
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ભોંયરાપાડામાં આવેલા શામળા પાર્શ્વનાથજીના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની અગિયાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. વળી અહીં પગલાંની એક જોડનો ઉલ્લેખ થયેલો છે.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઈતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ભોંયરાપાડામાં આવેલા આ જિનાલયનો ઉલ્લેખ શ્રી નવખંડા પાર્શ્વનાથજીના નામથી થયેલો છે. સં. ૧૯૮૪માં આ જિનાલયમાં પાષાણની પ્રતિમા સંખ્યા અગિયાર હોવાનો ઉલ્લેખ હતો. પૃ. ૪૯ પર આ જિનાલય વિશે નીચે મુજબ નોંધ છે :
.....આગળ જતાં ખૂણામાં નવખંડા પાર્શ્વનાથનું દેરું આવે છે, સુઘડતા પ્રશંસનીય છે, બિંબ મનોહર છે. વ્યવસ્થા લાખાભાઈ અમીચંદ હસ્તક છે.'
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે પાષાણની અગિયાર પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. જિનાલયનો વહીવટ તે સમયે શેઠ ભાઈલાલ નેમચંદ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ શ્રી ચંપકભાઈ ભાઈલાલ કાપડિયા (શાહ) હસ્તક છે. તેઓ ચોળાવાડામાં રહે છે.
અહીં મુખ્ય પ્રવેશદ્વારની અંદર ચોક છે. જિનાલયની પહોળાઈ કરતાં લંબાઈ ઘણી વધારે છે. જિનાલયની અંદર પ્રવેશતાં જ અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત શ્યામલ રંગના શ્રી નવખંડા પાર્શ્વનાથની મનોહર મૂર્તિના દર્શન મનને ભરી દે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org