________________
૧૩૬
૪.
ખંભાતનાં જિનાલયો
આ ફરી પ્રતિષ્ઠા થઈ તે પહેલાં આ મૂર્તિ લગભગ ૧૮ ઇંચ ઊંચા પિત્તલમય પરિકરમાં બિરાજમાન કરવામાં આવતી હતી અને તે ચલ પ્રતિમા તરીકે પૂજાતી હતી.
૫. સ્ફટિકમય મૂર્તિ ઉપર શિલાલેખ કોતરવો અશક્ય હોવાથી તેનો બધો ઇતિહાસ ભવિષ્યની પ્રજા માટે જળવાઈ રહે તે શુભ આશયથી એ મૂર્તિને લગતી બધી વિગત એ પિત્તલમય પરિકરની પાછળ લેખ રૂપે લખવામાં આવેલ છે. (આ વિશેષતા ખરેખર અદ્વિતીય છે.) આ સ્ફટિકમય મૂર્તિને લગતો લેખ પિત્તલમય પરિકર ઉપર અક્ષરશઃ આ પ્રમાણે છે :
संवत् १४९६ वर्षे ज्येष्ठ शुदि १० बुधे श्री पत्तननगरवास्तव्य श्री श्रीमालज्ञातीय व्य० कर्मसिंह भार्या गोई सुत व्य॰ मालदे भार्या कामलदे सुत व्य० गोविन्देन भार्या गंगादे सुत हरिचन्द देवचन्द भ्रातृज उदयराज भ्रातृ० व्य० केरुदा हीरा वीरा पाता भ्रातृज भोला दत्ता मांडण माणिक विजा गजादि कुटुम्बयुतेन स्वश्रेयसे श्रीचन्द्रप्रभस्वामिस्फटिकरत्न बिम्ब पित्तलापरिकरविराजितं कारितं । प्रतिष्ठितं च श्री तपागच्छनायक श्री देवसुन्दरसूरिपट्टेश युगप्रवर श्री सोमसुन्दरसूरिभिः । श्रीः ।
આ આખો લેખ ડિમાત્રામાં લખાયેલ છે અને પાંચસો વર્ષનો ગાળો વીત્યા છતાં તેનો એક પણ અક્ષર ખંડિત થયો નથી.
આ લેખનો સાર એ છે કે પાટણના રહેવાસી અને શ્રીમાલ જાતિના શેઠ કર્મસિંહના પુત્ર શેઠ માલદેના પુત્ર શેઠ ગોવિંદે પોતાના કુટુંબ પરિવાર સાથે સંવત ૧૪૯૬ના જેઠ સુદ ૧૦ને બુધવારે શ્રી ચંદ્રપ્રભસ્વામીનું ટિકરત્નનું બિંબ પિત્તલમય પરિકરમાં બિરાજમાન કર્યું, અને તેની પ્રતિષ્ઠા શ્રીદેવસુંદરસૂરિજીના પટ્ટધર શ્રી સોમસુંદરસૂરિજીએ કરી.
જિનબિંબ સ્ફટિકનું હોય અને તેને ધાતુમય પરિકરમાં બિરાજમાન કરીને તેનો સંપૂર્ણ ઇતિહાસ એ પરિકરમાં સુરક્ષિત કર્યો હોય એવો કદાચ આ પહેલો જ દાખલો હશે.
આ લેખમાંના પિતા રિવિનિત જાતિ શબ્દો ઉપરથી એવું પણ અનુમાન કાઢી શકાય કે એ સ્ફટિકમય શ્રી ચંદ્રપ્રભસ્વામીનું બિંબ ૧૪૯૬ની સાલથી પણ પુરાતન હોય અને કોઈ પણ જાતના પરિકર વગરનું હોય, અને તે સુરક્ષિત રહે એ આશયથી તેને એ પિત્તલમય પરિકરમાં પધરાવવામાં આવ્યું હોય.
આ મૂર્તિ અંગેની આ વિશેષતા જેવી જ બીજી પણ એક વિશેષતા મળી આવી છે, જે અહીં નોંધવી જરૂરી છે.
પિત્તલમય પરિકરમાં બિરાજમાન કરેલી આ પ્રતિમા, જિનાલયનો જીર્ણોદ્ધાર કર્યા પહેલાં, જે ગાદી ઉપર બિરાજમાન હતી તે ગાદી જ્યારે જીર્ણોદ્વારના કામ અંગે ઉખાડવામાં આવી હતી ત્યારે તેની નીચેથી એક તાંબાનું લગભગ છ-સાત ચોરસ ઇંચનું પતરું નીકળ્યું હતું. આ પતરા ઉપર કેટલાક મંત્રાક્ષરો તેમજ ઘંટાકર્ણ મંત્ર વગેરે લખેલ હતું.
શ્રી સોમસુંદરસૂરિજી મહારાજનો સમય તેમજ તેની આસપાસનો ચૌદમી પંદરમી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org