________________
ખંભાતનાં જિનાલયો
૧૩૭
શતાબ્દીનો સમય મંત્રવિદ્યાના મધ્યાહન સમય જેવો હતો. એટલે સંભવ છે કે શ્રીસંઘના કલ્યાણ વગેરેના નિમિત્તે મંત્રાક્ષરોથી ભરેલું આ યંત્ર ચંદ્રપ્રભસ્વામીના બિંબની ગાદી નીચે મૂકવામાં આવ્યું હોય.
આ નવી પ્રતિષ્ઠા વખતે એ યંત્ર પાછું પ્રભુજીની ગાદીની નીચે મૂકવામાં આવ્યું છે. આ પ્રમાણે એ યંત્ર ગાદીની નીચે મૂકવા પહેલાં તેની છબી લઈ લેવામાં આવી છે તે સારું થયું છે. આની છબીની એક નકલ પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ પાસે મેં જોઈ હતી.
એક સ્ફટિકમય જિનબિંબનો ઇતિહાસ પિત્તલમય પરિકરમાં સચવાયાની બીના જેમ નવી છે તેમ ગાદી નીચેથી યંત્ર નીકળ્યાની બીના પણ નવી જણાય છે. આ રીતે આ જિનબિંબમાં અનેક વિશેષતાઓ રહેલી છે.
આ નવી પ્રતિષ્ઠા સંવત ૧૯૯૫ના માગસર સુદી દશમ ને શનિવાર તારીખ ૨-૧૨-૧૯૩૮ના દિવસે પ્રાતઃકાળ દસ ને સત્તર મિનિટે કરવામાં આવી હતી. આ નવી પ્રતિષ્ઠાને લગતો શિલાલેખ
જ્યારે આ જિનાલયમાં લગાડવામાં આવે ત્યારે તે જ શિલાલેખમાં યોગ્ય સ્થળે, મૂળનાયક શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સ્ફટિકમય બિંબ અંગેની જે કંઈ હકીકત પિત્તલમય પરિકર ઉપર લખવામાં આવી હતી તે અક્ષરશઃ મૂકવામાં આવે એવી મેં પૂ. આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરિજીને વિનંતી કરી હતી, જે તેમને પસંદ પડી હતી. તેમજ ત્યાંના જૈનભાઈઓને પણ આ માટે ભારપૂર્વક કહ્યું હતું. કારણ કે હવે એ પિત્તલમય પરિકર એ સ્ફટિકમય બિંબથી છૂટું પડી ગયું છે એટલે કાળાંતરે એ ક્યાં જાય એ કોણ કહી શકે? અને કેવળ આપણી બેકાળજીના પરિણામે આ પ્રતિમાનો આવો સુંદર ઇતિહાસ અંધારામાં ધકેલાઈ જાય એ પણ કોઈ ઇચ્છે?”
સં. ૨૦૧૦ માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ભોંયરાપાડામાં આવેલા શ્રી ચંદ્રપ્રભુસ્વામીના જિનાલયને ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની દસ પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. જિનાલયમાં સં. ૧૪૯૬નો લેખ હોવાનો પણ ઉલ્લેખ છે. તે સમયે જિનાલયનો વહીવટ શેઠ ડાહ્યાભાઈ ગાંડાભાઈ હસ્તક હતો અને જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. આજે જિનાલયનો વહીવટ શ્રી કુસુમચંદ નટવરલાલ તથા શ્રી અશ્વિનકુમાર ચીમનલાલ હસ્તક છે. જેઓ ભોંયરાપાડામાં જ રહે છે.
જિનાલયનો મુખ્ય દરવાજો સુંદર કમાનવાળો છે. રંગમંડપમાં પ્રવેશવાના મુખ્ય દ્વારની બારશાખ પથ્થરની રંગીન કોતરણીવાળી છે. આરસની દીવાલોવાળા રંગમંડપમાં અન્ય કોઈ કલાત્મક કોતરણી જોવા મળતી નથી. મુખ્ય ગર્ભદ્વારની બારસાખ રંગીન કોતરણીવાળી છે. ગભારામાં મૂળનાયકશ્રી ચંદ્રપ્રભુસ્વામીની સ્ફટિકની પ્રતિમા આરસના પરિકરમાં બિરાજમાન છે. ગભારામાં પાષાણની કુલ દસ પ્રતિમાજીઓ વિદ્યમાન છે તથા એક જ પથ્થરમાં કોતરેલા આરસના પગલાંની ચાર જોડ છે.
સં. ૧૯૯૫ની પુન:પ્રતિષ્ઠા વખતનો એક શિલાલેખ પણ છે. જિનાલયમાં ડાબી બાજુના ગર્ભદ્વારની ઉપરની દીવાલે આ શિલાલેખ છે, જેમાં નીચે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org