SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો પણ આ જિનાલયમાં સાતત્યપૂર્ણ રીતે પાષાણની પાંચ અને ધાતુની બાર પ્રતિમાજીઓ વિદ્યમાન છે, જે ધ્યાન ખેંચે તેવી નોંધપાત્ર વાત છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૦૦ પહેલાં બંધાયું હોવાનું માની શકાય. ૧૩૪ ભોંયરાપાડો ચંદ્રપ્રભ સ્વામી (સં. ૧૬૭૩ પહેલાં) ભોંયરાપાડો વિસ્તારમાં મલ્લિનાથજીના જિનાલયની બાજુમાં ચંદ્રપ્રભુસ્વામીનું જિનાલય આવેલું છે. જિનાલય ઘુમ્મટબંધી અને આરસનું બનેલું છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા સ્ફટિકની છે. જિનાલયમાં ગભારાની બહાર એક લેખ છે, જેમાં સંવત ૧૪૯૬માં તપાગચ્છના શ્રી સોમસુંદર સૂરિએ પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. સં. ૧૬૭૩માં કવિ શ્રીઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ભોંયરાપાડા વિસ્તારને ભુંઇરા પોલ તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં, જે પૈકી ચંદ્રપ્રભુસ્વામીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે : ભુંઈરા કેરી પોલિ ભલેરી, ત્રણ્ય પ્રાસાદઈ ભુંગલ ભેરી, કીતિન કરું યન કેરી, હો || ૭ શ્રી ચંદ્રપ્રભનઈ દેહરઈ દીસઈ, અઢાર થંબ દેખી મન હીંસઈ, શાંતિનાથ જયન વીસઈ, હો II ૮ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઈતિ તીર્થમાલામાં ભોંયરાપાડા વિસ્તારમાં ચંદ્રપ્રભુસ્વામીના જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. સરતચૂકથી અથવા અન્ય કોઈ વિસ્તારમાં એ જિનાલયની નોંધ રજૂ થઈ હોય તેવો સંભવ છે. સં ૧૭૦૧માં માણેકચોક વિસ્તારની પાસે આવેલા શ્રીમલ્લછરના પાડામાં ચંદ્રપ્રભુસ્વામીના જિનાલયનો ઉલ્લેખ મળે છે. Jain Education International સં. ૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિમાં ભુંયરાપાડામાં આવેલાં છ જિનાલયો પૈકી આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૮માં નીચે મુજબ પ્રાપ્ત થાય છે : અથ ભુંયરાપાડામાં દેહરાં- ૬ ૬૬. શ્રી શાંતિનાથ. ૬૮.શ્રી ચંદ્રપ્રભુ નામ ૨ છે. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ભોંયરાપાડામાં આવેલા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy