________________
ખંભાતનાં જિનાલયો
૧૨૯
શાંતિનાથનું ૨૧ બિંબોવાળું ૩. આદીશ્વરનું ૨૦ પ્રતિમાઓવાળું. કાળપ્રભાવે હાલ એક પણ નથી. સોમજી શાહે કરાવેલ સૂપ પણ નથી. પરંતુ ખંભાતના ભોંયરાપાડાના શાંતિનાથનું મંદિર છે. તેના મૂળ ગભારામાં ડાબા હાથ તરફ પાદુકાવાળો એક પથ્થર છે. તેના ઉપરના લેખ ઉપરથી માલૂમ પડે છે કે આ પાદુકા તે જ છે કે જે સોમજી શાહે વિજયસેનસૂરિના સૂપ ઉપર સ્થાપના કરી હતી. કાળના પ્રભાવે અકબરપુરની સ્થિતિ પડી ભાંગવાથી આ પાદુકાવાળો પથ્થર અહીં લાવવામાં આવ્યો હશે. આ લેખ ઉપરથી નીચેની હકીકત મળે છે. “વિસં. ૧૬૭રના માહ સુદી ૧૩ને રવિવારના દિવસે સોમજીએ પોતાની બેન ધર્માઈ, સ્ત્રીઓ સહજલદે અને વયજલદે તથા પુત્રો સૂરજી અને રામજી વગેરે કુટુંબની સાથે પોતાના કલ્યાણને માટે વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવસૂરિ પાસે વિજયસેનસૂરિની આ પાદુકાની સ્થાપના કરાવી હતી.”
સં૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ભોંયરાપાડામાં આવેલા આ શાંતિનાથજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યો છે. તે સમયે પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. જિનાલયનો વહીવટ પોપટલાલ નગીનદાસ હસ્તક હતો. તે સમયે મૂળનાયક પરના લેખની સં૧૯૭૧ની નોંધ કરવામાં આવી હતી. આજે આ જિનાલયનો વહીવટ શ્રી શાંતિલાલ મોતીલાલ શાહ હસ્તક છે જેઓ ભોંયરાપાડામાં જ રહે છે.
શાંતિનાથજીનું જિનાલય અને ભોંયરાપાડામાં જ આવેલું મલ્લિનાથનું જિનાલય એકબીજાની અડોઅડ છે અને એક જિનાલયમાંથી બીજા જિનાલયમાં પ્રવેશ થઈ શકે છે. ભોંયરાપાડામાં આજે વિદ્યમાન શ્રી શાંતિનાથજી જૈન જ્ઞાનભંડારની પાછળના ભાગમાં આ જિનાલયનો મુખ્ય દરવાજો આવે છે. એ મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી નાનો-ખુલ્લો ચોક આવે છે અને ત્યારબાદ જિનાલયના રંગમંડપમાં પ્રવેશવાનો મુખ્ય દ્વાર આવે છે.
રંગમંડપના થાંભલાઓ પર રંગકામયુક્ત આરસનાં શિલ્પો સુંદર છે. રંગમંડપમાં સામસામેની બાજુ બે ગોખ છે જેમાં એક ગોખમાં ગરુડ યક્ષ તેની સામેના ગોખમાં નિર્વાણદેવીની મૂર્તિઓ છે.
ગભારામાં પાષાણની દસ પ્રતિમાજીઓ છે તથા આરસનાં પગલાંની એક જોડ છે.
સં. ૨૦૨૨માં તા. ૧૧-૫-૬૬ના વૈશાખ વદ સાતમને બુધવારના રોજ આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો છે. જિનાલયમાં ભોંયરું છે પણ તે બંધ છે. એટલે કે ભોંયરામાં પ્રતિમાજીઓ નથી.
આ જિનાલય સં. ૧૭૦૧ પહેલાના સમયનું છે.
ખંભા ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org