________________
૧૨૮
૬૮. શ્રી ચંદ્રપ્રભુ.
૬૯. શ્રી સામલા પાર્શ્વનાથ, અસલ ભોવડ પાર્શ્વનાથ.
૭૦. શ્રી શાંતિનાથ.
૭૧. શ્રી નેમિનાથ.
સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ભોંયરાપાડામાં આવેલા શાંતિનાથના આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૬૭માં નીચે મુજબ છે :
ભોંયરાપાડો
ખંભાતનાં જિનાલયો
૬૪. નવખંડા પારસનાથ અથવા ભુવન પારસનાથજીનું.
૬૫. ચંદ્રપ્રભુજીનું.
૬૬. મલ્લિનાથજીનું.
૬૭. શાંતિનાથજીનું (આ દેહેરાની જોડે શાલા છે તેમાં શુભવિજયજી અને વીરવિજયજી મહારાજ ઉતરતા એવું કેહેવાય છે.)
૬૮. નેમનાથજીનું.
૬૯. શાંતિનાથજીનું. ( આ નંબર ૬૮-૬૯વાળાં દેહેરાં ભેગાં છે.)
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ભોંયરાપાડા વિસ્તારમાં શાંતિનાથજીનાં બે જિનાલયો દર્શાવવામાં આવ્યાં છે. તે સમયે આ બંને જિનાલયો ધાબાબંધી દર્શાવવામાં આવ્યાં હતાં. શાંતિનાથજીના એક જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી તથા શાંતિનાથજીના અન્ય જિનાલયમાં પાષાણની આઠ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને તે જિનાલયની સ્થિતિ સાધારણ દર્શાવવામાં આવી હતી, જેમાં પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન છે, તે શાંતિનાથજીના જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી છે. ઉપરાંત તે સમયે તે જિનાલયમાં પગલાંની એક જોડનો પણ ઉલ્લેખ થયેલો છે.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં જણાવ્યા મુજબ ભોંયરાપાડામાં આવેલા શાંતિનાથજીના આ જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. તે સમયે આ જિનાલયનો વહીવટ શા૰ હીરાભાઈ પોપટલાલ હસ્તક હતો. તેઓ બોરપીપળે રહેતા હતા. પૃ૦ ૪૮૪૯ ઉપર આ જિનાલય સંબંધે નીચે મુજબ નોંધ મળી આવે છે :
‘શ્રી વિજયસેનસૂરિ ૬૮ વર્ષનું આયુષ્ય ભોગવી સં૰ ૧૬૭૨ના જેઠ વદ ૧૧ના દિવસે ખંભાતની પાસેના અકબરપુરમાં સ્વર્ગવાસી થયા હતા. બાદશાહ જહાંગીરે તેમના સ્તૂપને માટે દશ વીઘા જમીન મફત આપી હતી અને ગામે ત્રણે દિવસ સુધી પાખી પાળી હતી. એ પરામાં કવિ ઋષભદાસ કૃત ચૈત્યપરિપાટી અનુસાર ત્રણ જિનાલયો હતાં. ૧. વાસુપૂજ્યનું ૭ બિંબોવાળું, ૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org