SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ખંભાતનાં જિનાલયો ભોંયરાપાડો શાંતિનાથ-નેમિનાથ (સં. ૧૬૭૩ પહેલાં) ભોંયરાપાડામાં શાંતિનાથજીના જિનાલયની બાજુમાં શ્રી શાંતિનાથ-શ્રી નેમિનાથનું આરસનું ઘુમ્મટબંધી સંયુક્ત જિનાલય આવેલું છે. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં ભોયરાપાડામાં શાંતિનાથજીનું એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. જ્યારે આજે (સં. ૨૦૫૫)માં ભોંયરાપાડામાં શાંતિનાથજીનાં બે જિનાલયો વિદ્યમાન છે. ૧. શાંતિનાથ ૨. શાંતિનાથ-નેમિનાથ સંયુક્ત જિનાલય. શાંતિનાથ-નેમિનાથ બંને મૂળનાયક પ્રતિમાજીઓ પર કોઈ લેખ નથી. સં. ૧૯૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં આ જિનાલય વિશે નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ થયેલો છે : ભુંઈરા કેરી પોલિ ભલેરી, ત્રણે પ્રાસાદઈ ભુંગલ ભેરી, શ્રી ચંદ્રપ્રભનઈ દેહરઈ હીંસઈ, અઢાર બંબ દેખી મન દીસઇ, શાંતિનાથ જન વિસઈ, હો || ૮ સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાઇતિ તીર્થમાલામાં ભોયરાપાડામાં શાંતિનાથજીના બે જિનાલયો વિદ્યમાન હતા જેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : ભુઅરઈ પાડઈ શાંતિ મૂરતિ બાવન જિન શું ગાજએ છસઈ બત્રીસ શાંતિનાથ સાતસઈ એકવીસ સાંમલી ..........................................૧૬ સં. ૧૯૦૦માં ભોંયરાપાડા મધ્યે આવેલાં ૬ જિનાલયો પૈકી શાંતિનાથ-નેમિનાથના જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૭૦ તથા ક્રમાંક ૭૧માં કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે : અથ ભુંયરાપાડામાં દેહરાં ૬ ૬૬. શ્રી શાંતિનાથનું દેહરું. ૭૦. શ્રી શાંતિનાથ. ૭૧.શ્રી નેમનાથ. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ બંને જિનાલયોનો ઉલ્લેખ ક્રમાંક ૬૮-૬૯માં નીચે મુજબ થયેલો છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy